હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સકની સાથે સામૂહિક દુષ્કર્મ અને પછી તેની નિર્મમ હત્યાના 4 આરોપીઓને શુક્રવારે સવારે પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પીડિતાના પિતાએ સરકાર અને પોલીસને અભિનંદન આપ્યા છે. તેઓએ કહ્યું છે કે હવે મારી દીકરીના આત્માને શાંતિ મળી જશે.
હૈદરાબાદની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દરેક લોકો આરોપીઓને જલ્દી જ ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. આ સમયે પીડિતાના પિતાએ કહ્યું છે કે પોલીસ અથડામણમાં ઠાર મરાયેલા ચારેય આરોપીઓને લઈને કહ્યું કે મારી દીકરીના મોતને 10 દિવસ થઈ ચૂક્યા છે. હું આ માટે પોલીસ અને સરકારનો આભાર વ્યક્ત કરું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે.
Father of the woman veterinarian on all 4 accused killed in police encounter: It has been 10 days to the day my daughter died. I express my gratitude towards the police & govt for this. My daughter's soul must be at peace now. #Telanganapic.twitter.com/aJgUDQO1po
પીડિતાની માતાએ કહ્યું હતું આરોપીઓને જીવતા સળગાવી દો
27 નવેમ્બરે આરોપી મદદના બહાને પીડિતાને સુમસામ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેઓએ પહેલાં તેની સાથે હેવાનિયત ભર્યું કામ કર્યુ અને પછી તેની પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી દેનારી આ ઘટનાના આરોપીઓને ફાંસી પર ચઢાવવાની માંગ થઈ રહી હતી. એક આરોપી કેશવુલુની માતાએ કહયું હતું કે પીડિતા સાથે જેવું થયું તેવું જ તેમની સાથે કરો. તેમને પણ એ જ રીતે સળગાવી દો.