ભજનીક હેમંત ચૌહાણની અટકાયત થવાની ઘટના સામે આવી હતી બાદમાં તે જામિન પર મુક્ત થયા હતા. હવે હેમંત ચૌહાણે આખી ઘટના મુદ્દે ખુલાસો કર્યો છે અને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ઘટનાની સ્પષ્ટતા કરી છે.
હેમંત ચોહાણે બોલાવી પત્રકાર પરિષદ
અટકાયત પર કર્યો ખુલાસો
બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે
ભાવિન ઠક્કર નામના વ્યક્તિએ હેમંત ચૌહાણ પર આરોપ લગાવ્યા હતા અને બાદમાં ભજનીક ચૌહાણની ઑડિયો ક્લિપ વાયરલ થઇ હતી. બાદમાં હેમંત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી તેવા સમાચાર વહેતા થયા હતા.
શું કહ્યુ પ્રેસ કોન્ફરન્સમાં ?
હેમંત ચૌહાણે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમાં ભાવિન ઠક્કર પર તેમણે આરોપ મુક્યા હતા કે તે વ્યક્તિ કલાકારોને બદનામ કરવાનુ કામ કરી રહ્યો છે. ફક્ત હેમંત ચૌહાણ જ નહી 150 જેટલા કલાકારોને હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ભાવિન હેમંત પાસે પૈસાની માંગણી નથી કરતો માત્ર ઇર્ષાભાવના કારણે આ પ્રકારનુ કામ કરી રહ્યો છે. પ્રતિશોધ લેવા માટે ભાવિને 5 વર્ષ બાદ પ્રયત્ન કરી રહ્યો છે.
જો હેમંત ચૌહાણનું નામ ખરાબ થાય તો તેમને પ્રોગ્રામ ન મળે અને તેમને પૈસાની તંગી થઇ જાય, જો લોકોના મનમાં હેમંત ભાઇનું નામ ખરાબ થઇ જાય તો કોઇ તેમના ભજન સાંભળવા તૈયાર નહી થાય. આ પ્રકારની ચિંતા પણ હેમંત ચૌહાણે વ્યક્ત કરી હતી.
અટકાયતની વાત ખોટી
હેમંત ચૌહાણે વધુમાં કહ્યું હતુ કે, પોલિસે તેમની અટકાયત કરી હતી તેવા સમાચાર ખોટા છે, પોલિસે તેમનો સંપર્ક નથી કર્યો અને તેમની કોઇ ધરપકડ નથી થઇ. આ સમગ્ર વિવાદ ઉપજાવી કાઢેલો છે અને તેમને બદનામ કરવા માટે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના
રાજકોટના મૂળ ગાયક હેમંત ચૌહાણની 2015ની એક જૂની ઘટના સામે આવી હતી. 2015માં હેમંત ચૌહાણની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેના કારણે હેમંત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાનો સાર હતો કે, હેમંત ચૌહાણની એક ઑડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં તે એક સંચાલકને ફોન પર ધમકીઓ આપી રહ્યાં હતા. તે ઘમકીને કારણે હેમંત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. 2015ની ઘટના 5 વર્ષ બાદ સામે આવી હતી, જેના કારણે હેમંત ભાઇની મુશ્કેલીઓ વધી ગઇ હતી.