કોરોનાની બીજી લહેરમાં માતા પિતા ગુમાવનાર દરેક બાળકોની મદદ કરવા માટે CM શિવરાજસિંહ ચૌહાણે લીધો આ નિર્ણય
ગરીબ પરિવારોને મળશે 5 હજાર રૂપિયાની પેન્શન સહાય
છોકરીઓને પણ મળશે ઘણી મદદ
ઘણા બધા કેસો સામે આવતા લીધો આ નિર્ણય
ગરીબ પરિવારોને મળશે 5 હજાર રૂપિયાની પેન્શન સહાય
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોરોના કહેર વચ્ચે મોટી જાહેરાત કરી હતી. કોરોનામા જે પણ બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તે બધા જ બાળકોની મદદ અને દેખભાળ હવે રાજ્ય સરકાર કરશે, સાથે જ રાજ્યના દરેક ગરીબ પરિવારોને રૂપિયા 5 હજારનું પેન્શન મળશે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દરેક બાળકોની બધી જ જવાબદારીઓ રાજ્ય સરકાર લેશે, એ દરેક નિરાધાર બાળકનો આધાર હવે અમે બનીશું.
છોકરીઓને પણ મળશે ઘણી મદદ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે બીજા ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવામાં આવશે. સાથે જ જે પરિવારો સરકારી યોજનાની યાદીમાં નથી આવતા તે લોકોને પણ અનાજની કીટ મફતમાં આપવામાં આવશે. આગળ તેમણે કહ્યું કે જે દીકરીઓનાં પરિવાર વાળા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે તે દરેક દીકરીઓને સરકાર પોતાની ગેરંટી લઈ વગર વ્યાજે ધિરાણ લેવામાં મદદ કરશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે.
ઘણા બધા કેસો સામે આવતા લીધો આ નિર્ણય
કારણકે રાજ્યમાં એવા ઘણા બધા કેસો સામે આવ્યા હતા જેમાં હસતાં ખેલતા પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. કેટલાક માસૂમ બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, તેવા બાળકોને જિંદગીમાં આગળ વધવા માટે અને તેમને પૂરતી મદદ કરવા માટે સરકાર આ મોટા નિર્ણયો લઈ રહી છે. એવા કેસોની વાત કરીએ તો ભોપાલમાં પઠાનીમાં રહેતા મોહનલાલનું કોરોનાનાં કારણે નિધન થયું. ત્યારબાદ તેમની પત્ની પણ કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા. જેમની બે દીકરીઓ માત્ર 6 અને 7 વર્ષની જ છે. જે હવે નાના-નાની સાથે રહે છે. બીજા એક કેસની વાત કરીએ તો ભોપાલની નીલુ વર્મા કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો. તેમના પતિ પણ કોરોનામાં મૃત્યુ પામ્યા. હવે તેમનો દીકરો યશ સાવ નિરાધાર બની ગયો. જે હવે તેના દાદા દાદી પાસે રહે છે. આવા ઘણા કેસો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.