ઘરમાં અને ખાસ તો રસોડામાં કામ કરતી વખતે મહિલાઓ દાઝી જતી હોય છે. રસોઈ કરતી વખતે તો ક્યારેક ઇસ્ત્રી કરતી વખતે કે પછી ગરમ વસ્તુ શરીર પર પડવાથી અસહનીય પીડા અને બળતરાનો અનુભવ થાય છે. પરંતુ આનાથી છુટકારો મેળવવા માટે શું કરવું એ સમજાતું નથી. આજે અમે તમને રસોડાની જ કેટલીક ચીજોનું મહત્વ જણાવીશુ અને તેને કઈ રીતે ઉપયોગમાં લેવાથી બળતરામાં રાહત મળી શકે તેની વાત કરીશું.
ટુથપેસ્ટ
બળતરા કે ઘા માટે ટુથપેસ્ટ ઘણી અસરકારક છે. તેથી જયારે તમારો હાથ દાઝી જાય તો તરત ઘરના બાથરૂમમાં જાવ અને ટુથપેસ્ટને તે ઘા ઉપર લગાવી લો. તેનાથી તમને બળતરાની જગ્યાએ ઠંડકનો અનુભવ થવા લાગશે.
દાડમ
દાડમના બે ચાર પાંદડા લો અને તેને પથ્થરથી વાટી લો. પેસ્ટને દાઝેલા ભાગ ઉપર લગાવશો તો તમને ઘણો આરામ મળશે. દિવસમાં સતત બે થી ત્રણ વખત આમ કરવાથી તમારો ઘા જલ્દી સારો થઇ જશે.
કાળી ચા
કાળી ચામાં ટેનિક એસિડ હોય છે, જે દાઝેલી ત્વચાની ગરમીને ઘટાડવાનું કામ કરે છે. આ માટે બ્લેક-ટીની એક ટી-બૅગને ઠંડી કરીને પ્રભાવિત જગ્યાએ મુકી દો. આનાથી તમને ઘણું સારું લાગશે.
ઘા પર પાણી નાંખો
દાઝો કે તરત જ પ્રભાવિત જગ્યાને નળની નીચે લઇ જાઓ. તેને ઓછામાં ઓછા 20 મિનિટ પાણીમાં રાખશો તો તમને સારું લાગશે. એ પછી કોલ્ડ કંપ્રેસની મદદથી પણ બળતરામાં રાહત મેળવી શકાય છે.
અલોવેરા
એલોવેરાની સૂધિંગ પ્રોપ્રટીઝ તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે. એલોવેરા તોડીને એની ફ્રેશ જેલની દાઝેલી જગ્યાએ લગાવો. આની અસર તમને તરત જ જોવા મળશે.
મધ
મધ બળતરાને ઘટાડે છે. મધમાં રહેલાં એન્ટી-ઇમ્ફલેમેન્ટરી, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝને લીધે થાય છે. આને તમે સીધું જ પ્રભાવિત જગ્યાએ લગાવી શકો છો.
ફુદીનો
દાઝ્યાનો ઘા થઇ જાય તો તમે જરાપણ ડરશો નહીં અને ફુદીનાના પાંદડા વાટીને પેસ્ટ બનાવીને તમારા ઘા ઉપર લગાવી લો. તેનાથી થોડા જ દિવસમાં તમારો ઘા ઠીક થઇ જશે.
બરફ
બરફ આપણા ઘા ઉપર મીન્ટ જેવું કામ કરે છે. જયારે પણ તમારા હાથમાં કે ક્યાંક બીજે બળતરા હોય તો બરફનો ટુકડો લો અને તે ઘા ઉપર ઘસો. તેનાથી તમને ઘણો આરામ મળશે.