હેલિકોપ્ટર જૉય રાઈડ: અમદાવાદીઓ હવે રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણી શકશે.
અમદાવાદ રિવર ફ્રંટ પર હેલિકોપ્ટર જોય રાઇડ
લોકો રૂ. 2 હજારમાં માણી શકશે અમદાવાદનો એરિયલ વ્યુ
શનિવાર અને રવિવારે માણી શકાશે જોય રાઇડ
અમદાવાદ રિવર ફ્રંટ પર હેલિકોપ્ટર જોય રાઇડ
અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટની દેશભરમાં ચર્ચા થાય છે. ગાંધી આશ્રમથી લઈને મોર્નિંગ વૉક અને ફરવા માટે યુવાનોમાં આ જગ્યાનો ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે રિવરફ્રન્ટ પર વિકાસ માટે સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર એક સાબરમતીનાં બે છેડાને જોડતો વૉક વે થોડા દિવસમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. હાલમાં જ યોટ રેસ્ટોરન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં હવે રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જૉય રાઈડ શરૂ કરવામાં આવી રહી છે.
લોકો રૂ. 2 હજારમાં અમદાવાદનો એરિયલ વ્યુ માણી શકશે
અમદાવાદીઓ હવે રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણી શકશે. રિવરફ્રન્ટ વોટર એરોડ્રામની પાસે જ હેલી પેડ પણ બનાવી દેવામાં આવ્યું છે જેમા લોકો બે હજાર રૂપિયાની ટિકિટમાં અમદાવાદનો એરિયલ વ્યૂ માણી શકશે.
7 થી 20 મિનીટ સુધી માણી શકાશે આકાશી નજારો
એક સાથે હેલિકોપ્ટરમાં પાંચ લોકો બેસી શકશે અને પછી હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવશે. હાલના ધોરણે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે આ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બ્રીજના છેલ્લા સ્ટેજનું ચાલી રહ્યું છે કામ
સાબરમતી નદીને અમદાવાદની ઓળખ ગણવામાં આવે છે. પહેલા નદીને નિહાળવા માટે લોકો 7 બ્રીજ પર ઉભા રહેતા હતા. પરંતુ હવે લોકોની આ સમસ્યા દૂર થઈ ગઈ છે. કેમ કે અમદાવાદ વૉક વે બ્રીજનું કામકાજ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે આ બ્રીજ ટૂંક સમયમાં જ શહેરના નાગરિકોના માટે ખુલ્લા મુકવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ ખાતે બનાવાયેલા આ બ્રીજનું મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે વૉક વે બ્રીજનું હવે માત્ર છેલ્લા સ્ટેજનું ફિનિશિંગ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બ્રીજને 2021 અંત અથવા 2022ની શરૂઆતમાં વૉક વે ખુલ્લો મુકાય તેવું લાગી રહ્યું છે, આ વૉક વે શરૂ થતા સાબરતમતીના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઇ શકાશે. સાંભળીને તમને નવાઈ લાગશે મનપા દ્વારા બનાવામાં આવેલ આ બ્રીજ પર લોકો વોકિંગની સાથે સાથે સાયકલિંગ પણ કરી શકશે. આપને જણાવી દઈએ કે કુલ 74 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રીજની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે આ બ્રીજને 2021ના અંતમાં કે 2022 શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે તેવું મનાઈ રહ્યું છે.
રિવરફ્રન્ટ પર શરૂ થશે યોટ રેસ્ટોરન્ટ
અમદાવાદમાં ફરવા માટે અનેક સ્થળો છે, પરંતુ વીકએન્ડમાં પરિવાર સાથે ટૂંકા સમયગાળામાં ફરવા જેવી જગ્યા એટલે રિવરફ્રન્ટ છે. અમદાવાદીઓ રિવરફ્રન્ટને ખુબ જ પસંદ કરે છે. ત્યારે આ રિવરફ્રન્ટનું આકર્ષણ વધારવા માટે સમયાંતરે નવી નવી સુવિધાઓનો ઉમેરો થઇ રહ્યો છે. ત્યારે હવે AMC દિવાળીમાં અમદાવાદીઓને નવી ભેટ આપી રહ્યું છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોટ રેસ્ટોરન્ટ શરૂ થશે. અમદાવાદીઓ બોટિંગ સાથે ખાણીપીણીની મજા પણ માણી શકશે. યોટમાં એકસાથે 13 લોકો મુસાફરીનો આનંદ લઈ શકશે. યોટમાં ગેસ, ફ્રિઝ અને બેડની પણ સુવિધા મળશે. યોટમાં મુસાફરી માટે જુદા જુદા પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
પીએમ મોદીના સપનાનું સી-પ્લેન મેઈનટેનન્સમાં ગયું તે ગયું, હજુ સુધી પરત નથી આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘રાઈટ બ્રધર્સની મદદથી અમદાવાદની સાબરમતી નદીથી કેવડીયા કોલોનીમાં નર્મદા નદી સુધી સી-પ્લેન ઉડાન ભરી હતી. તે સમયે આખા ગુજરાતમાં આનંદ વ્યાપી ગયો હતો. પરંતુ ત્યારબાદ સી-પ્લેન કયારે ઉડ્યું તે દિવસો તો આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. છેલ્લે ઉડ્યા બાદ હવે તે નથી ઉડ્યું તેને અંદાજે 200 જેટલા દિવસ થયા છે, તે રીપેર કરવા ગયું તે ગયું. 50 વર્ષ જૂનુ સી-પ્લેન તેની સેવાના 28 દિવસમાં જ બગડયું હતું. ત્યારબાદ અનેક વખત તે ફીવરમાં ગયું પણ છેલ્લા 200 દિવસ બાદ હજું આવ્યું નથી અને હજું દેશભરમાં આ પ્રકારે સી-પ્લેનના સ્વપ્ના સેવાય છે.