આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ COSCના ચેરમેનનું પદ સંભાળતા તેમના દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) બનાવવાની અટકણો વધી છે.
એમએમ નરવણેએ COSCના ચેરમેનનું પદ સંભાળ્યું
હવે નરવેણેના CDS બનવાનો દાવો મજબૂત
જનરલ નરવણેને સેના પ્રમુખ બન્યે લગભગ 2 વર્ષનો સમય થઈ ચૂક્યો છે
એમએમ નરવણેએ COSCના ચેરમેનનું પદ સંભાળ્યું
આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના ચેરમેનનું પદ સંભાળી લીધું છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) બનાવવાની અટકણો લગાવવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું. ત્રણ સેનાઓના પ્રમુખોની હાજરીમાં કમિટીના ચેરમેનની આ પોસ્ટ દેશના પહેલા સીડીએસ બિપિન રાવતને 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશમાં અકાળે મૃત્યુ બાદ ખાલી પડેલી હતી.
હવે CDS બનવાનો દાવો મજબૂત
સૂત્રોનું એમ પણ કહેવું છે કે નવા CDSને લઈને હાલ કોઈ ચર્ચા નથી. જનરલ નરવણે ત્રણેય સેનાના પ્રમુખોમાં સૌથી સિનિયર હોવાના કારણે COSC ચેરમેન બનાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત આગલા CDS બનાવવાનો દાવો વધારે મજબૂત થઈ ગયો છે.
જનરલ નરવણેને સેના પ્રમુખ બન્યે લગભગ 2 વર્ષનો સમય થઈ ચૂક્યો છે
IAF પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી 30 સપ્ટેમ્બરે જ્યારે નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે પોતાના પદ 30 નવેમ્બરને સંભાળ્યો હતો. તેનાથી ઉલટુ જનરલ નરવણેને સેના પ્રમુખ બન્યે લગભગ 2 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. 61 વર્ષીય જનરલ નરવણેએ જનરલ બિપીન રાવતને રિટાયરમેન્ટ અને દેશના પહેલા સીડીએસ તરીકે પ્રમોશન બાદ 31 ડિસેમ્બર 2019માં ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે સેનાની મુખ્ય જવાબદારી સંભાળી હતી.
શું છે COSC અને કેવી રીતે નિયુક્ત થાય છે ચેરમેન
COSC ત્રણ સેનાના પ્રમુખોની હાજર કમિટી છે. જે ત્રણ સેનાની વચ્ચે અભિયાનો તથા અન્ય મુદ્દાઓને લઈને કોઓડિનેસન બનાવી રાખવાનું કામ કરે છે. જનરલ નરવણેને એજ જૂની પરંપરા હેઠળ COSC ચેરમેન બનાવવામાં આવ્યા છે. જે સીડીએસના પદ પર જતા પહેલા લાગૂ થાય છે. આ પરંપરા હેઠળ ત્રણેય સેનાઓના પ્રમુખોમાંથી સૌથી સિનિયર અધિકારીને COSC ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા.
8 ડિસેમ્બરે બની હતી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો, અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં મોટી આગ લાગી હતી અને તે આગનો ગોળો બનીને જમીન પર તૂટી પડ્યું હતું તેમાં સવાર 13 લોકોના મોત થયા જ્યારે એક જવાનનો જીવ બચી ગયો હતો પરંતુ વરુણ સિંઘે પણ હવે ગત રોજ શ્વાસ છોડ્યા હતા.