મુંબઈમાં ગઈકાલે રાતે ભારે વરસાદ પડ્યો, જેના કારણે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. આ ઘટનાઓમાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જળબંબાકારની જેવી સ્થિતિને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવીત થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બચાવ તેમજ રાહતના કામો શરૂ કર્યા છે.
વરસાદને કારણે ટ્રેનો સ્થગિત
મધ્ય રેલ્વેમાં ભારે વરસાદને કારણે થોડાક સમય માટે ટ્રેન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. ઉપરાંત દૂરથી આવતી ટ્રેનોનો પણ માર્ગ બદલી કાઢવામાં આવ્યો છે. પર્વતીય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને દીવાલ પડી ગઈ જેના કારણે 17 લોકોના મોત થયા હતા.
ઝાડ પડતા ઘરની દિવાલ તૂટી
મુંબઈના માહુલ વિસ્તારમાં રાત્રીના સમયે ઝાડ પડી ગયું. જેના કારણે એક ઘરની દિવાલ પણ તૂંટી ગઈ હતી. ઘરમાં રહેતા સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Saddening that over 25 people died due to wall collapses in Chembur &Vikhroli
ભારે વરસાદને કારણે મુંબઈના વિખરોલી ઉપનગરમાં રાતે અઢી વાગે ભૂસ્ખલન થયું. જેમા 6 કાચા મકાનો ધસી પડ્યા હતા. આ ઘટનામાં પણ સાત લોકોના મોત થયા હતા તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઉપનગરના ભાંડપમાં પણ વનવિભાગ પરિસરની દીવાલ ધસી પડતા 16 વર્ષીય માસૂમ બાળકનું મોત થયું હતું.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે મુંબઈમાં મધ્ય અને પશ્ચિમ રેલ્વેની અમુક ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્રારા ઓરેંજ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી મુંબઈમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ બચાવ તેમજ રાહતના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.