જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલી હિમવર્ષા જાનલેવા સાબિત થઇ રહી છે. કુપવાડાનાં માછિલ સેક્ટરમાં હિમ્સ્ખલનનાં કારણે 3 જવાન શહીદ થયા છે. આ સિવાય આ સેક્ટરમાં સેનાની ઘણી ચોકી હિમસ્ખલનની ચપેટમાં આવી ગઈ છે.
સેનાનાં સુત્રો અનુસાર એક ચોકીમાં 5 જવાન ફસાયેલાં છે. ઘાટીમાં હિમ્સ્ખલનનાં કારણે 5 લોકો નાં મરણની ખબર આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર રામપુર અને ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનની કેટલીક ઘટનાઓ સામે આવી છે.સેનાનાં સુત્રો અનુસાર છેલ્લાં 48 કલાકમાં હિમવર્ષાનાં કારણે ઘણી જગ્યાએ હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. સેનાનાં 3 જવાનએ દેશ માટે જાણ ગુમાવી પડી છે. સેનાના સુત્રોએ કહ્યું છે કે હિમસ્ખલનનાં કારણે ઘણા સૈનિકોને બચાવવામાં આવ્યા છે.
Army Sources: Due to heavy snowfall in the last 48 hours, there have been multiple avalanches in the North Kashmir areas after which a number of soldiers have been rescued. 3 soldiers have lost their lives while one is still missing. #JammuAndKashmir
આ સિવાય મધ્ય કાશ્મીરનાં ગંદરબલ જીલ્લાનાં સોનમર્ગનાં ગગ્ગેનર વિસ્તારનાં કુલાન ગામમાં 5 લોકોનાં મોતની ખબર સામે આવી છે. ઘણા ઘરને પણ ક્ષતિ પહોંચી છે. આ વિસ્તારનો શ્રીનગરથી સંપર્ક પણ થઇ શક્યો નથી જેથી સુરક્ષાકર્મીઓએ ત્યાં પહોંચવા માટે પગપાળા જવું પડે છે.
થોડા દિવસ પહેલાં સાતમી જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરનાં એલઓસી પાસે પૂંછ જીલ્લામાં હિમસ્ખલન થયું હતું જેમાં સેનાનાં એક પોર્ટરનું મોત નીપજ્યું હતું.
3 ડિસેમ્બરે પણ ચાર જવાન શહીદ થયા હતા. કાશ્મીરનાં તંગધાર સેક્ટરમાં હિમસ્ખલનનાં કારણે ત્રણ જવાન શહીદ થયા હતા. અને ગુરેજ સેક્ટરમાં પણ એક જવાન શહીદ થયા હતા.