બનાસકાંઠામાં થરાદના વજેગઢના ગ્રામજનોના પાણીની સમસ્યાને લઈ હાલાકી સર્જાઇ છે. છેલ્લા એક વર્ષથી પાણી નહી મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા ગ્રામજનો એકઠા થયા હતાં. રોષે ભરાયેલા ગ્રામજનોના પાણી પુરવઠાની ઓફીસ પર પહોચ્યા હતાં.
પાણી પુરૂ પાડવાની માગને લઈ આધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અધિકારીએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ગયા વર્ષે કુદરતનો પ્રકોપ વરસ્યો હતો જ્યારે આ વર્ષે લોકો વરસાદની રાહ જોતા રહી ગયા અને વરસાદ હાથતાળી આપતો રહ્યો. વરસાદની અછતના કારણે પણ પાણીની અછત બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં સર્જાઇ રહી છે.