ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં સરેરાશ વરસાદ 85 ટકા, હજુ પણ 10 ટકાની ઘટ, સિઝનનો 50 ટકા વરસાદ એક મહિનામાં પડી ગયો, આ તારીખોમાં પડી શકે અતિભારે વરસાદ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગઈ કાલે રાજ્યમાં 181 તાલુકામાં વરસાદ
આ તારીખોમાં પડી શકે અતિભારે વરસાદ
રાજ્યના હવામાન વિભાગે આજે રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબદંરમાં વરસાદની આગાહી કરી છે, સાથે અમરેલી, પાટણ, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
આ તરફ કચ્છ, જામનગર, દ્વારકા અમદાવાદ, ગાંધીનગર અને આણંદ, બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે, હવામાન વિભાગે આગામી 29 સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. 1 ઓક્ટોમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ દિવ, દમણ દાદરાનગર હવેલી સાથે જ સુરત, પોરબંદર અને જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
ગઈ કાલે રાજ્યમાં 181 તાલુકામાં વરસાદ
ગઈ કાલે રાજ્યમાં એક દિવસમાં 181 તાલુકામાં વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો આજે પણ વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે, મહત્વનું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક નદીઓ અને ચેકડેમ છલકાયા છે.
જો વાત કરવામાં આવે તો ગઈકાલે સૌથી અમરેલીના રાજુલામાં પોણા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મહેસાણામાં 3.5 ઇંચ, ગીર ગઢડા, પોરબંદર, જામનગરમાં 3 ઇંચ વરસાદ તો હળવદ, માળિયામાં 2.5 ઈંચ, બેચરાજી, દસાડા, મોરબી, કડી, અને પોશીના, કેશોદ, વાંકાનેર, વિસનગર, બરવાળા સહિત અનેક પથંકમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટના ડેમો ફરી ઓવરફ્લો, વડોદારામાં પણ સરોવરમાં નવા નીર
વડોદરામા પડેલા ભારે વરસાના કારણે જળસંકટ દૂર થયું છે, આજવા સરોવરમાં પાણીની આવક સરોવરની જળસપાટી 211 ફુટ થતા જળસંકટ દૂર થયું છે. 4 દિવસમાં ત્રણ ફુટ પાણીનું લેવલ વધ્યું તો 212.50 ફુટ સુધી લેવલ મેન્ટેન કરાશે ત્યારે વડોદરામાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ તરફ રાજકોટમાં પણ ભારે વરસાદથી ડેમો ફરી ઓવરફ્લો થયા છે. ભાદર, આજી સહિત 9 ડેમ ભયજનક સ્થિતિએ પહોંચી ગયા છે. તો નીચાણવાળા વિસ્તારો, ગામોને ચેતવણી આપવામાં આવી છે, ડેમોમાં પાણીના આવક થતા જુદા જુદા ડેમના 9 થી 15 દરવાજા ખોલાયા જ્યારે સૌથી વધુ ભાદર ડેમના 15 દરવાજા 3 ફૂટ ખુલ્લા મુકાયા છે.
ઉકાઈડેમમાં ઉપરવાસથી પાણીની આવક
આ તરફ ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. હાલ ડેમમાં 1 લાખ 4 હજાર 248 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 22 ગેટમાંથી 14 ગેટ ખોલાયા છે. ડેમમાં પાણીના આવક થતા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ડેમના 13 ગેટ 6 ફૂટ અને 1 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ ડેમની જળસપાટી 341.04 ફૂટ પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે જેથી ડેમ ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર રહી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત કોઝવેની સપાટી 9.06 મીટર
આ તરફ સુરત કોઝ-વેની સપાટી 9.06 મીટરે પહોંચી છે, હાલ કોઝવે 3 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે જ્યારે ઉકાઈ ડેમમાંથી 8,6,696 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઉકાઇ ડેમથી સુરત કોઝ-વે સુધીમાં વરસાદથી કોઝવેની સપાટી વધી છે. કોઝવે માંથી 2,03545 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો ઉકાઈ ડેમમાંથી જરૂર પડ્યે 1.75 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે.