ઉત્તરાખંડના ધારચૂલામાં ભારે વરસાદને કારણે 7 મકાન ધારાશાયી થઈ ગયા, જેના કારણે 5 લોકોના મોત થયા છે સાથેજ હજું ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 7 મકાન ધરાશાયી
દુર્ઘટનામાં 5 લોકોના મોત
અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
ઉત્તરાખંડમાં ધારચૂલાના જુમ્મા ગામમાં ધોધમાર વરસાદના કારણે વાદળ ફાટવાથી જામુની અને નાલપોલી તોકમાં સાત મકાનો ધરાશાયી થઈ ગયાં છે. આ મકાનોના કાટમાળ હેઠળ ત્રણ માસૂમ બાળકીઓ અને તેમનાં કાકા-કાકી સહિત સાત લોકો દબાઈ ગયાં હતાં. ત્યારબાદ હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ત્રણ બાળકીઓ અને બે મહિલાઓના મૃતદેહો મળી આવ્યા હતા.
રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
જ્યારે દંપતી (ત્રણ બાળકીનાં કાકા-કાકી) હજુ પણ લાપતા છે અને તેમના મૃતદેહોની શોધ ચાલી રહી છે. આ ઘટનામાં જુમ્મા ગામના ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.એસડીઆરએફ, એનડીઆરએફ અને એસએસબી સહિત પોલીસના જવાનો અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન અને સર્ચ ઓપરેશનમાં લાગેલા છે.
અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
રવિવારે રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદથી જુમ્મા ગામના જામુની અને નાલપોલી તોકમાં મોટાપાયે ભૂસ્ખલન થતાં સાત મકાનો ધરાશાયી થઈ ગયાં હતાં. જામુની તોકમાં ચંદ્રસિંહ ધામી, તેમનાં પત્ની હાજરીદેવી અને ત્રણ ભત્રીજીઓ સંજના, રેણુ અને શિવાની કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. જુમ્મા ગામમાં જ નાલપોલી તોકમાં સાસુ-વહુ કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. આમ હજુ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શંકા છે અને સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ભૂસ્ખલનને કારણે કાવી નદી પૂર
બીજી બાજુ નેપાળ સરહદ બાજુથી ભારે ભૂસ્ખલ થવાના કારણે કાલીનદીમાં ધસમસતાં પૂર આવ્યાં છે અને પૂરનાં પાણી ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયાં છે. કપકોટ તાલુકા વિસ્તારમાં રવિવારે અને સોમવારે થયેલા ધોધમાર વરસાદના કારણે કેટલાંય ગામોને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાંય સ્થળોએ પહાડો પાણીમાં ગરકાવ થઈ ગયાં