હવે થાક્યો ખેડૂત, હવે હાર્યો ખેડૂત, કોરોના બાદ વાવાઝોડા અને હવે આફતના 'વરસાદે' સાવે સાવ પાયમાલ કરી દીધા
સૌરાષ્ટ્રના વરસાદી તબાહીના મંજર દયાજનક છે
ખેતરમાં 2 થી 3 ફુટ પાણી ભરાતા મોટી નુકસાની
સરકાર કોઈ મદદ કરે, હવે કોઈ આસરો નથી: ખેડૂતો
થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર માં અનાવૃષ્ટિ દુષ્કાળ સ્થિતિ જેવી હાલત હતી પરંતુ છેલ્લા દિવસો માં વરસી રહેલા વરસાદે અહીં અતિ વૃષ્ટિ જેવી હાલત કરી નાખી છે, રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકા ના સરદાર ગામ ના ખેડૂતો માટે તો અતિ વરસાદ હાલ મુશ્કેલી સર્જી છે, અહીં સતત વરસાદ ને લઈ ખેતરો માં પાણી ભરાઈ ગયા છે, અને 1 હજાર વીઘા જેટલા વિસ્તાર માં પાક ધોવાણ સાથે મોટી નુકસાની સહન કરવા નો વારો આવ્યો છે.
ખેતરમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા પાકનો સત્યાનાશ
રાજકોટ જિલ્લા અને તાલુકા માં સતત વરસી રહેલો વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છો. ત્યારે જેતપુર ન સરદાર પૂર ગામ ના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે, સતત બે દિવસ થી વરસી રહેલો વરસાદે ખેડૂતો ને પરેશાન કરી નાખ્યા છે,
સતત વરસી રહેલ વરસાદ ને કારણે ખેડૂતો ના ખેતર માં 1 થી લઈ ને 2 ફૂટ સુધી ના પાણી ખેતરો માં ભરાઈ ચુક્યા છે અને ખેડૂતો ને વાવેલ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો નું ધોવાણ થઇ ગયું છે, સતત પાણી માં રહેવાને કારણે કપાસ ના ઝીંડવા કાળા પડી ને સડવા લાગ્યા છે સાથે મગફળી ના છોડ સતત પાણી માં રહેવા ને કારણે મગફળીમાં બેસેલ સુયા અને પોપટા પણ ફરી ઉગવા લગતા મગફળી નો પાક નુકસાન જઈ રહ્યું છે, સાથે સાથે સતત વરસાદ ને લઈને અહીં ની જમીન માંથી રેસ ફૂટી રહ્યાં છે જેને લઈને હવે જમીન માં થી પાણી બહાર આવી રહ્યું છે જે સ્થિતિ પાક માટે ખુબજ ખરાબ છે.હાલ તો સરદાર પૂર ના 1 હજાર વીઘા જેટલા વિસ્તાર ના ખેતરો માં ધોવાણ થયું છે અને ખેડૂતો હાલ વરસાદે ન ઘરના રાખ્યા ન ઘાટના રાખ્યા એવા કર્યા છે.
સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોટી નુકસાની
આ તો માત્ર એક ગામનો ચિતાર છે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોનું આખુંય વર્ષ પાણીમાં ગયું. હજારો હેક્ટર જમીન પર લીલા દુકાળે બધુ જ પાયામાલ કરી નાખ્યું છે.એ રાજકોટ, જામગનગર, કે દ્વારા હોય કે પછી જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ તમામ જગ્યાએ બસ નુકસાની જ નુકસાની દેખાઈ રહી છે. બસ રાહ છે રાહતની.. દ્વારકાના રાવલ ગામ આસપાસના વિસ્તારમાં વરસાદી તબાહીનો મંજર દયાજનક છે. ચારે તરફ ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે, વર્તુ-2 અને સાની ડેમના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે.
બસ 'રાહ' રાહતની છે...
સરદાર પૂર ગામ ના ખેડૂતો ની 1 હજાર વીઘા જમીન ના પાકનું ધોવાણ સામે આવી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આવતી રવિ સીઝન અને ખરીફ પાક ના વાવેતર માટે સરકાર પાસે તેવો ના ખેતરો ના ધોવાણ નો સર્વે કરી ને તાત્કાલિક ડિઝાસ્ટર એક્ટ મુજબ વળતર ચૂકવવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે, અને અહીં ના પાક ધોવાણ અને નુકસાન નો સર્વે કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છેખેડૂતો માટે તો વરસાદ આવે તો પણ મોટી મુશ્કેલી અને ના આવે તો પણ મુશ્કેલી હાલ તો ખેડૂતો અતિ વૃષ્ટિ નો સામનો કરી રહ્યા છે જે જોતા લીલો દુષ્કાળ સ્પષ્ટ દેખાય છે ત્યારે હાલ ની પરિસ્થિતિ માં સરકાર ખેડૂતો ની વહારે આવે એન મદદ કરે તે જરૂરી છે