મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે પૂરને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લગભગ 700 યાત્રાળુ ફંસાયા છે. શુક્રવારે મોડી રાત્રે 3 વાગ્યે ફંસાયેલા યાત્રાળુઓને નીકળવા માટે હેલિકોપ્ટર અને બોટથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
જ્યારે મુંબઇમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 18 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ (એમઆઇએેએલ)ને પબ્લિક રિલેશન અધિકારી મુજબ, 7 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. જ્યારે 9 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે. અન્ય ફ્લાઇટ્સ સરેરાશ 30 મિનિટ ચાલી રહી છે. જ્યારે કલ્યાણથી કર્જતની તમામ ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે.
મુંબઇ પોલીસે કહ્યું કે અમે યાત્રાળુઓથી અનુરોધ કરીએ છીએ કે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યા ન જવું. સમુદ્રથી દૂરી બનાવી રાખવી. કોઇપણ પ્રકારની મદદ માટે અમને 100 નંબર પર ફોન કરવો. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે, ખરાબ હવામાનને કારણે વિજિબિલિટી ઓછી થવાને કારણે ફ્લાઇટ્સ અસર પડી રહી છે.
Mahalaxmi Express rescue operation: 8 flood rescue teams from Navy including 3 diving teams mobilised with rescue material, inflatable boats & life jackets. A Seaking Helicopter also sent with divers for deployment in the area as advance assessment party. #Maharashtrapic.twitter.com/qBNyGXefL1
હવામાન વિભાગે આવનારા 24 કલાક માટે રાયગઢ, સિંધુદૂર્ગ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કહ્યું છે. મુંબઇ, નવી મુંબઇ, ઠાણે, પાલઘરમાં 26 અને 28 જુલાઇએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આવનારા 4 કલાકમાં ઠાણે, રાયગઢ અને મુંબઇમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલવાની સંભાવના છે. વહીવટીય તંત્રે લોકોને સમુદ્ર અને પાણી ભરેલા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.
Indian Meteorological Department (IMD): Due to the strengthening of monsoon currents & formation of low pressure area over North West Bay of Bengal, rainfall intensity is very likely to increase over North Konkan during next 48 hours. pic.twitter.com/yqINSlKjAQ
હવામાન વિભાગ અનુસાર, ગત 24 કલાકમાં મુંબઇમાં 150-180 મિલીમીટર સુધી વરસાદ થયો છે. શનિવારના પણ ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન લોકોને બહાર ના નીકળવાની અને સમુદ્ર તટ પર ના જવાની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે અત્યાર સુધી 24 ઉડાનો પર અસર થઇ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનોની વચ્ચે પાણીથી ભરેલી ટ્રેક પર ફસાઇ ગઇ છે, જેમાં 2000 યાત્રીઓને નીકાળવા માટે NDRFની ટીમ રવાના થઇ ચૂકી છે.
મુંબઇકરોને હજુ પણ વરસાદમાંથી રાહત મળે તે માટે કોઇ શક્યતા નથી. શુક્રવારના વિભાગની તરફથી જારી કરવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર, રાજધાની અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. વિભાગ અનુસાર, આગામી 4 કલાક દરમિયાન ઠાણે, રાયગઢ અને મુંબઇમાં 50-60 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ સિવાય આગામી 48 કલાકમાં ઉત્તરી કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.
લોકોને સતર્ક રહેવા માટે આદેશ:
હવામાન વિભાગના અધિકારી અનુસાર, 27 જૂલાઇથી ભારે વરસાદની આશંકાને કારણે લોકોને સતર્ક રહેવાની જરૂ છે કેમકે આવી પરિસ્થિતિમાં જૂના મકાનો અથવા તો દિવાલો પડવાની ઘટના બની શકે છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગત દિવસોમાં દિવાલો પડવાને કારણે ઘણા લોકો ઘાયલ થઇ ગયા છે. એવામાં આ દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે.
આ સિવાય વરસાદને કારણે રેલ સેવાઓ પર પણ અસર થઇ રહી છે. મુંબઇ લોકલની સેન્ટ્રલ લાઇન પર સ્થિત બદલાપુર રેલ્વે સ્ટેશનનું રેલ્વે ટ્રેક વરસાદના પાણીમાં ડૂબી ગયા છે.
આ સાથે જ હવામાન વિભાગ અનુસાર, મૉનસૂન ફરી એક વખત એક્ટિવ થવા પર મુંબઇ અને ઠાણેમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ક્ષેત્રીય હવામાન વિભાગના ઉપ મહાનિદેશક અનુસાર, મધ્ય અને ઉત્તર પ્રશ્ચિમ ભારતમાં એક મજબૂત મૉનસૂનની સ્થિતિ જોવા મળી રહી છે.