મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. જેમા 1171 જેટલા ગામમાં પાણી ઘૂસી ગયા છે. જે પૈકી 200 જેટલા ગામમાંતો જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે
1171 જેટલા ગામમાં ઘુસ્યા પાણી
વાયુસેના ટૂંક સમયમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરશે
અત્યાર સુધીમાં 700 લોકોનું રેસ્ક્યું કરાયું
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાય છે. વરસાદને કારણે અહિયા કુલ 1171 જેટલા ગામ પ્રભાવિત થયા છે. જેમા ખાસ તો 200 જેટલા ગામમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. પરિણામે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણ દ્વારા રાજ્યમાં પૂરની સ્થિતીને લઈને સમિક્ષા કરવામાં આવી હતી.
વાયુસેના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે
મુખ્યમંત્રી દ્વારા પુર ગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર સાથે વાતચીત કરી. પુરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જેમા ઘણા લોકોને બચાવામાં આવ્યા, સાથેજ વાયુસેના દ્વારા પણ વરસાદી વાતાવારણ દૂર થતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે. આજે મુખ્યમંત્રી પણ પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરવાના છે.
700 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું
CM શીવરાજ સિંહ ચોહાણે કહ્યું કે શિવપુરી જિલ્લામાં પાણી ઘટી રહ્યું છે. સાથેજ ત્યા અત્યાર સુધીમાં 700 જેટલા લોકોને બચાવામાં આવ્યા છે. અહીયા અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા. સાથેજ તેમણે કહ્યું કે સેનાના જવાનો પણ નરવર અને પોહરી વિસ્તારમાં પહોચવાના છે. જોકે હાલ પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.
ખાવાની વ્ચવસ્થા કરવાના આદેશ
સમગ્ર મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ કે વાતાવરણ ખરાબ હોવાને કારણે વાયુસેના હેલીકોપ્ટરથી બચાવ કાર્ય માટે નથી પહોચી શકી. જોકે શિવપુર અને શ્યોપુરના 22 ગામ જળબંબાકર સ્થિતીમાં છે ત્યાથી વાયુસેના દ્વારા 11 લોકોનું રેસક્યૂં હાથ ધરવામાં આવ્યું છે. શિવરાજસિંહે રાહત શિબિર અને ખાવાની વ્યવસ્થા કરવા માટે તંત્રને આદેશ આપ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અફવાઓ પર ધ્યાન ન આપે.
જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યમંત્રી સંપર્કમાં
ઉલ્લેખનીય છે કે પૂરથી પ્રભાવીત જિલ્લાના કલેક્ટરો સાતે સતત મુખ્યમંત્રી સંપર્કમાં રહીને કામગીરી કરી રહ્યા છે. સાથેજ વાયુસેના દ્વારા પણ ટૂંક સમયમાં રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે.