આશા હતી કે સારો વરસાદ થશે અને સારી ઉપજ થતાં જ દેવુ ઉતરશે. પણ ગુજરાતના ખેડૂતોએ સ્વપ્ને પણ નહોંતુ વિચાર્યું કે દેવુ ઉતરવાના બદલે ચઢી જશે.
નુકસાનની ભરપાઈ કોણ કરશે?
ખેડૂતોએ કર્યું ફરી વાવેતર
કૃષિ મંત્રીએ હાથ ધરી સર્વેની કામગીરી
ગુજરાતમાં અનરાધાર વરસાદ બાદ રાજ્યના ડેમ, ચેકડેમ, નદી ઓવરફ્લો થયા છે પણ કેટલાક જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો છે. અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ બન્ને જિલ્લામાં ખેડૂતો પર આફત તૂટી પડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા.અને સ્થિતિ એ આવી કે ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો.અને હવે ખેડૂતોને ફરીથી વાવણી કરવાનો વારો આવ્યો છે..
ઉભો પાક ધોવાયો મહેનત ગઈ પાણીમાં
આ હાલાકી ભિલોડાના ધૂલેટા અને ધંધાસણ ગામના છે. જ્યાં પૂરના કારણે ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં બે બે ફૂટ સુધી ખાડા પડી ગયા છે.અહીં વરિયાળી, સોયાબીનના વાવેતર ફેલ ગયા છે.. તો આ તરફ 300 મીટર RCCનો રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.આ તરફ નવા પાલ્લા, ટોરડા, કિશનગઢમાં વરસાદથી ભારે નુકસાન થયું છે.અહીં મગફળી, કપાસ, મકાઈ સહિતના ખરીફ પાક ધોવાઈ ગયા છે.શામળાજીમાં થયેલા 4 ઈંચ વરસાદ બાદ આ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેની સાથે પાક પણ ધોવાઈ ગયો.આરસીસીનો રોડ પણ પાણીના પ્રવાહમાં તૂટી ગયો હતો.
ખેડૂતો થયા પાયમાલ
ચારેય તરફ હરિયાળું લાગતું આ ઘાસનું મેદાન.જ્યાં અનેક પશુ ઘાસચારો ચરી રહ્યા છે.અહીં પશુઓના ખાવા તો ઘાસ છે. પણ ખેડૂતોના ખાવા અનાજ નથી રહ્યું. આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે.. અહીં વરસાદી પાણી ખેતરોમાં એ રીતે ફરી વળ્યા કે ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું. કયાંક પાણીની સાથે પાક ધોવાઈ ગયો.. તો કયાંક પાણી સાથે આવેલા ગાળામાં પાક દબાઈ ગયો.છોટાઉદેપુર જિલ્લામાં થયેલા અવિરત વરસાદથી ખેડૂતોનો મકાઈનો ઉભો પાક ધોવાઈ ગયો છે.ખેતરોમાં પાણી ફરી વળતા હવે ફરીથી વાવણી કરવાનો વારો આવ્યો છે.. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી છે.
આકાશી આફતમાં સહાય ક્યારે?
આ તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ બોડેલીની મુલાકાત લીધી હતી. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના થયેલા પાકના નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યો હતો. અને સર્વે બાદ સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી શકે છે.. જોકે ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતોને જ હંમેશા વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતોની આશા પર સરકાર કેટલી ખરી ઉતરે છે તે જોવું રહ્યું