અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, હવામાન વિભાગની આગાહીને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે
અમરેલી-જાફરાબાદ બંદર પર લગાવ્યુ 3 નંબર સિગ્નલ
હવામાન વિભાગની આગાહીને પગલે લગાવ્યુ સિગ્નલ
અગમચેતી માટે તંત્રએ લગાવ્યુ 3 નંબરનું સિગ્નલ
ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા આજના દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે, સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંઓમાં છુટો છવાયો વરસાદની આગાહી છે. તો સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અગમચેતી માટે તંત્રએ લગાવ્યુ 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે. મહત્વનું છે કે, દરિયામાં કરંટ અને પવનની ગતિ વધી શકે છે. આ સાથે માછીમારોને પણ સાવચેત કરી દેવાયા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય હતુ તે ફરી એકવાર સક્રિય થઇ ચુક્યું છે. તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તેમજ વરસાદની જરૂરીયાત હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગીરસોમનાથમાં વરસાદ થયો છે.
વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ છે. સતત ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદ થઇ રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. 2 કલાકમાં દોઢ ઇચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા.
દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર સહિત કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી બપોર સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં સારો વરસાદ થતા પાકને જીવનદાન મળ્યું છે. લાંબા વિરામ બાદ કવાંટ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ડાંગના વઘઈ સ્થિત ગીરાધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. અંબિકા નદીમાં વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. વરસાદના આગમન અને ધોધના કારણે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું.