ઉત્તરાખંડમાં ગુજરાતીઓ ફસાતા રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ગુજરાતીઓની સલામતી અને સુરક્ષાને લઈને આપ્યું નિવેદન, બ્રિજેશ મેરજા પણ આવ્યા એક્શનમાં
રાજ્યના કેબિનટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ આવ્યા એક્શનમાં
હવામાન અનુકૂળ થયા બાદ હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ થશે
ઉત્તરાખંડમાં ભંયકર પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ત્યારે ફરવા અને યાત્રા માટે ગયેલા હજારો ગુજરાતીઓ ફસાય ગયા છે. ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા અને તેમની સાથે સંપર્ક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ફોન હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ગુજરાતીઓની સલામતી અને સુરક્ષાને લઈને નિવેદન આપતા જણાવ્યું કે હાલ ગુજરાતીઓ સલામત છે. કેદારનાથમાં 80 ગુજરાતીઓ ફસાયા હતા તેમાથી માત્ર 6 ગુજરાતીઓ જ હવે કેદારનાથમાં ફસાયેલા છે. તેમને બચાવવા માટે ખાસ હેલિકોપ્ટરથી તેનું રેસ્ક્યૂ કરવામાં આવશે. જ્યારે અન્ય લોકોને સુરક્ષિત સ્થલોએ ખસેડી લેવામાં આવ્યો છે.
મોરબીના 47 મુસાફરો ઉત્તરાખંડમાં ફસાયા
આ તરફ મોરબીના પણ 47 મુસાફરો ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ચમોલીમાં 12 મોરબીના વતનીઓ ફસાતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા એક્શનમાં આવ્યા છે અને તેમણે ફસાયેલા વિવેક મનસુખ નામના યુવક સાથે વાત કરી ડિઝાસ્ટર કમિશનને મદદ માટે સુચના આપી છે.
ડિઝાસ્ટર કમિશનરને મદદ કરવા મંત્રીએ આપી સૂચના
ઉત્તરાખંડમાં છેલ્લા 48 ક્લાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તરાખંડના નૈનીતાલમાં સૌથી વરસાદ અને તારાજી સર્જાઇ છે. જો વાત કરવામાં આવે તો હાલ નૈનીતાલ સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે નૈનીતાલથી લોકોને રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી રહી છે. નૈનીતાલથી લોકોને રેસ્ક્યુ કરતો આર્મીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પણ આર્મીના જવાનો લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે. નૈનીતાલ તળાવનું પાણી ઘરોમાં અને શેરીઓમાં ઘુસ્યુ રહ્યું છે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આર્મીનું સાહસ જોવા મળ્યું છે.
છેલ્લા 48 કલાકથી પડતા અનરાધાર વરસાદ
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા 48 કલાકથી પડતા અનરાધાર વરસાદને કારણે હદ્વાનીમાં આવેલી ગૌલા નદીમાં ભયાનક પૂર આવ્યુ તો ઉફાળા મારતી ગૌલા નદીમાં હાથી ફસાયો હતો હાથી સતત પાણીના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરતું બહાર ન આવી શકતા હદ્વાની વન વિભાગે હાથીનું રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડ્યો હતો.