મરાઠાવાડ વિસ્તારમાં ભારે વરસાદ, પુર અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ
મરાઠાવાડમાં ભારે વરસાદ, પુર અને વીજળી પડવાથી 13 લોકોના મોત
560 થી વધારે લોકોને હેલિકોપ્ટરોથી બચાવવામાં આવ્યા
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન મરાઠાવાડ વિસ્તારમાં ભારે વરસાદ, પુર અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમ લોકોને રાહત આપવામાં લાગી છે. 560 થી વધારે લોકોને હેલિકોપ્ટરોના માધ્યમથી બચાવવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે રવિવાર અને સોમવારે મરાઠાવાડમાં થયેલા ભારે વરસાદથી અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતા સેંક્ડો જાનવર પાણીમાં વહીં ગયા. અધિકારીનું કહેવું છે કે મરાઠાવાડને બારહમાસી સુકાગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ વરસાદના કારણે તબાહી મચેલી છે.
મરાઠાવાડમાં વરસાદે ભયંકર નુકસાન નોતર્યુ
મરાઠાવાડ મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે. જ્યાં વરસાદે ભયંકર નુકસાન નોતર્યુ છે. અહીં 8 જિલ્લા ઔરંગાબાદ, લાતૂર, ઉસ્માનાબાદ,પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મંજારા બાંધથી અડિને આવેલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળ સ્તર વધવાથી મંગળવારે પાણીની નિકાસી માટે મંજારા બાંધથી તમામ 18 અને મજલગામ બાંધના 11 ગેટ ખોલી દેવામાં આવ્યા. જેનાથી 78, 397 ક્યૂસેક 80, 534 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. આ કારણે બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પુર આવી ગયુ. જ્યારે પડોશી જિલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે.
એમએસઆરટીસીના પુલ ક્રોસ કરતા સમયે પુરને લીધે એકનું મોત અને 3 ગુમ થયા
અધિકારીઓના અનુસાર યવતમાલ જિલ્લામાં મંગળવારે સવારે એમએસઆરટીસીની બસ નાગપુરથી નાંદેડ જઈ રહી હતી. પુરના પાણીમાં ડુબેલા પુલને પાર કરતા સમયે વહી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 3 ગુમ થયા છે. આ ઘટના ઉમરખેડ તાલુકાના દહાગાંમ પુર પર સવારે લગભગ 8 વાગે થઈ.
પ્રશાસન તરફથી જારી સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે 48 કલાકમાં બીડમાં 3 , ઓસ્માનાબાદ અને પરભનીમાં 2-2 અને જાલના, નાદેડ અને લાતૂરમાં એક એક વ્યક્તિના મોત થયા છે. જો કે આમાં મોતની વિગતવાર જાણકારી નથી મળી.
નદીમાં ફસેયાલા 3 લોકોને કાઢવામાં આવ્યા
એક અધિકારીએ જણાવ્યું કે સરસા ગામમાં માંજરા નદીના તટ પર ફસાયેલા 40માંથી 25 લોકોને બોટની મદદથી કાઢવામં આવ્યા છે અને બાકી 15 સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રેનાપુર તાલુકાના ડિગોલ દેશમુખ વિસ્તારમાં નદીમાં ફસાયેલા 3 લોકોને કાઢવામાં આવ્યા.
હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી સાકિબ ઉસ્માનીએ જણાવ્યું તે રાજ્ય સિંચાઈ વિભાગના 3 કર્મચારી ઘંસારગાંવ બૈરાજમાં ફસાયેલા છે અને એનડીઆરએફના એક દળ તથા એક હેલીકોપ્ટરને તેને બચાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ અને ઉપનગરોમાં મંગળવારે ભારે વરસાદ થયો. પરંતુ ત્યાં સુધી પાણી ભરાયાના કોઈ સમાચાર નથી અને ઉપનગરીય ટ્રેન સહિત સાર્વજનિક પરિવહન સેવાઓ સામાન્ય રુપથી જારી છે.