ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોચી છે. મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ 40 હાજાર 659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 65 સેન્ટીમીટરનો વધારો થયો છે.
દર કલાકે જળ સપાટી 5 થી 7 સેન્ટિમીટર વધે છે. હાલ ડેમની જળસપાટી 128.41 મીટરે પહોંચી છે. તો નર્મદા ડેમની 138 મીટર સુધીની ક્ષમતા છે અને સરકારે ડેમને 131 મીટર સુધી ભરવા માટે મંજૂરી આપી છે. નર્મદા ડેમની 138 મીટર સુધીની ક્ષમતા છે.
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત 1 લાખ 40 હાજાર 659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે CHPHના ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. તો કેનાલમાં પણ 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો હજુ પણ જળસપાટી વધે તો ડેમના દરવાજા પણ ખોલવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદામાં ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 128.41 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 1 લાખ 40 હાજાર 659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.