એક તરફ મુંબઈ જ્યાં વરસાદથી બેહાલ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ દેશના ઘણા રાજ્ય વરસાદ માટે તરસી રહ્યા છે અને અહીં લોકો ગરમીથી ત્રસ્ત છે. સ્કાઈમેટ અનુસાર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4 જુલાઈથી વરસાદ શરૂ થશે અને 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. મુંબઇની જો વાત કરીએ તો મુંબઈમાં મૂશળધારે વરસાદે મુંબઈને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ વિવિધ વિસ્તારોમાં ઘટના પણ ઘટી છે અને તેમાં 22 લોકોનાં મોત થયા છે.
ન્યૂ દિલ્હીઃ મુંબઇ (mumbai) કે જે વરસાદ (rain) થી હાલમાં બેહાલ થઇ ગયું છે, જ્યારે બીજી બાજુ અને દેશનાં અનેક રાજ્યો હાલમાં વરસાદ માટે તરસી રહ્યાં છે અને લોકો ગરમીથી ખૂબ જ કંટાળી ગયા છે તેમજ સ્કાઇમેટ (skymet forecast) અનુસાર, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4 જુલાઇથી વરસાદ શરૂ થશે અને 7 જુલાઇનાં રોજ વરસાદ આમ જ ચાલુ રહેશે.
Mumbai: Indian Navy deploys various teams to provide assistance to rain hit and stranded people, in Kurla area following a request by BMC. About 1000 people have been shifted to safety with the help of NDRF, fire brigade, Naval teams as well as local volunteers. #MumbaiRainspic.twitter.com/udYAylTTx0
Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis visited BMC (Brihanmumbai Municipal Corporation) control room this morning to monitor the situation due to #MumbaiRainspic.twitter.com/rmGdMLeP9P
મુંબઇની જો વાત કરીએ તો મુંબઈમાં મૂશળધારે વરસાદે મુંબઈને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ વિવિધ વિસ્તારોમાં ઘટના પણ ઘટી છે અને તેમાં 22 લોકોનાં મોત થયા છે. મૃતકોનાં પરિવારોને રાજ્ય સરકારે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. તો મુંબઈ માટે વરસાદને લઇ હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે છે.
મુંબઈમાં ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર પર પણ અસર થઈ છે. ભારે વરસાદને પગલે ગુજરાતની કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. નવસારી સુરતની ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા છે. મુંબઈમાં વરસાદને પગલે સુરત-મુંબઇ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ, સુરત-મેમુ ટ્રેન, મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, વિરાર સુરત મેમુ અને બાંદ્રા સુરત ઇન્ટરસિટી રદ કરાઈ છે. ટ્રેન રદ થતા દરરોજ મુસાફરી કરતા મુસાફરોને હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
મધ્ય પ્રદેશ અને ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ સતત વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, 7 જુલાઈ સુધી મુંબઈ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ગુજરાતનાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, મોન્સુન દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેંડ્રા, સુલતાનપુર, લખીમપુર ખેરી, મુક્તેશ્વરની ઉપર થઇને ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં આ વધારે સઘન થવાની આશા છે.
પંજાબ અને હરિયાણામાં આ વખતે વરસાદ થઇ શખે છે. વરસાદ સ્કાઈમેટ અનુસાર 5 જુલાઈનાં રોજ પંજાબ અને હરિયાણામાં કેટલીક જગ્યાઓ પર અને દિલ્હી અને ઉત્તરી રાજસ્થાનમાં એક-બે જગ્યાઓ પર પૂરા ગાજવીજ સાથે વરસાદ થવાનાં એંધાણ છે. આ ભાગોમાં 7 જુલાઈ સુધી અહીં હવામાન યથાવત રહેશે.
ચેન્નઈની જો વાત કરીએ તો હાલમાં અહીં જળસંકટ વધી રહ્યું છે. સ્કાઈમેટ અનુસાર ચેન્નઈમાં ઘણા લાંબા સમયથી વરસાદ જ નથી થયો જે કારણોસર અહીં જળ સંકટ મંડરાઈ રહ્યું છે કેમ કે જળાશયોમાં ક્ષમતાને મુકાબલે ખૂબ ઓછુ જ પાણી બચ્યું છે. જુલાઈનાં પહેલા સપ્તાહમાં ચેન્નઈમાં સૂકા હવામાન વધારે સમય રહેશે કે જેનાંથી પરિસ્થતિ વધારે મુશ્કેલ થઈ શકે છે. આંકડાઓની જો વાત કરીએ તો દિલ્હીમાં સામાન્યતઃ 27 જૂન સુધી 47.2 ટકા વરસાદ થાય છે પરંતુ આ વર્ષે માત્ર 6.3 ટકા જ વરસાદ થયો છે જે સામાન્યથી 87 ટકા ઓછો છે.
અહીં વરસાદ થઇ શકે છે. આગામી થોડાંક કલાકોમાં મેઘાલય અને અસમમાં ભારે વરસાદનાં સંકેત છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 3 જુલાઈનાં રોજ એક-બે સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે જ્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદ થવાનાં એંધાણ છે.