રાજ્યમાં છેલ્લા બે દિ'થી મેઘરાજા અવિરત જળાભિષેક કરી ખેડૂતોને ખુશી કરી દીધાં છે.IMDના અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં રાજ્ય સહિત દેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી
મહીનાના પહેલા દિવસે દેશની રાજધાની વરસાદી પાણીથી ડબ્યું
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રેએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં મધ્યમાં દેશના કેટલાક રાજ્યોમાં સામાન્ય થી વધુ વરસાદ પડવાની સંભાવના છે. હજી દેશમાં વરસાદની 9 ટકા ઘટ સર્જાઈ રહી છે. જે સ્પેટમ્બરમાં થવા વાળી વધુ વરસાદથી ઓછી થઈ જશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ઓગસ્ટ સિવાય જૂન મહિનામાં પણ વરસાદની 7 ટકા ઘટ નોધાઈ હતી.
મૃત્યુજય મહાપાત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના કેટલા ભાગમાં સામાન્ય અથવા તેનાથી પણ ઓછો વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. આઈએમડીએ સ્પટેમ્બર થી પહેલા ઓગસ્ટમાં 94 થી 106 ટકા વરસાદ પડવાનો અનુમાન લગાવ્યું હતું. જે ખોટું સાબિત થયું હતું. જો કે, ઓગસ્ટ મહિનામાં વરસાદની સિઝન નબળી પડતાં આઈએમડીનું અનુમાન ખોટું સાબિત થયું છે. જેને લઈને માત્ર 24 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો.
ઓગસ્ટમાં રાજ્યભરમાં 24 ટકાથી ઓછો વરસાદ પડયો
હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ પડશે. જે સામાન્ય થી વધારે રહેવાનું અનુમાન છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં માત્ર 24 ટકા ઓછો વરસાદ થયો છે.
સારા વરસાદ થી ધરતીપુત્રોને થશે ફાયદો
આ વર્ષે ચોમાસાની સિઝનનમાં ઘણો મોટો ઉતરાવ-ચઢાવ આવ્યો છે. તેમજ દેશના કેટલા ભાગોમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ મેઘરાજાએ દસ્તક પણ નથી કરી એવામાં દેશના ઘણાં ભાગોમાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. જો સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ જોવા નહીં મળે તો ધરતીપુત્રો માત્ર ખરીફ પાક મળશે અને જો ઓછો વરસાદ પડશે તો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ ધરતીપુત્રોને ઘણું નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જો કે, ધરતીપુત્રો આ મહિને ઘણી આશા છે.
ઉત્તર, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં હળવા વરસાદ સંભાવના
સ્કાઈમેટના એક વેઘર રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડું, કર્ણાટક, કેરળ, દક્ષિણ કોંકણ અને ગોવા દિલ્લી એનસીઆર અને ઉત્તરાખંડોના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક બે સ્થાનો પર કેટલાંક સમય સુધી વધુ વરસાદ પડી શકે છે.
મહીનાના પહેલા દિવસે ડુબ્યુ રાજધાની
હવામાન વિભાગે સ્પટેમ્બર મહિનામાં સામાન્ય થી વધુ વરસાદ પડવાનું અનુમાન લગાવ્યું છે. અને આની સીધી અસર દેશની રાજધાની દિલ્લીમાં પહેલા જ દિવસથી જોવા મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બુધવાર સવારે 8 વાગ્યા સુધી દિલ્લીમાં 112.1 મીમી વરસાદ નોધાયો હતો. મુશળધાર વરસાદના કારણે દિલ્લીના કેટલાક પ્રમુખ વિસ્તારો વરસાદી પાણીથી તરબતોળ થઈ ગયાં હતાં. તો વળી કેટલાક વિસ્તારોમાં તળાવની જેમ પાણી ભરાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદ અને વરસાદી પાણીના ભરાવના કારણે દિલ્લીવાસીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો