ઉપરવાસ પડેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી બનાસનદીમાં પુષ્કળ પ્રમાણમાં નીર આવતાં બનાસનદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં સતત પાણીનો વધારો થતાં તંત્ર દ્વારા નદી કિનારાના 12 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.
ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદીમાં નવા નીર આવતા બનાસનદી બે કાંઠે વહેતી થઈ છે બનાસનદીમાં સતત પાણીનો વધારો થતા તંત્ર દ્વારા નદી કિનારેના અમીરગઢ, સરોત્રા, કકવાડા, ઈકબાલગઢ,કારજા,બાલુદ્રા સહિત 12 ગામોના લોકોને એલર્ટ આપીને નદી કિનારે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. જોકે અમીરગઢ નજીકથી વહેતી બનાસનદીમાં પાણી આવતા અનેક લોકો નદી જોવા આવી રહ્યા છે તો કેટલાય લોકો જીવન જોખમે નદીમાં નાહવા પડી રહ્યા છે .
બનાસનદીએ બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં થઇને વહેતી હોવાથી તેના પાણી જિલ્લાના લોકો તેમજ ખેડૂતોને ખુબજ ઉપયોગી થાય છે તો જિલ્લાના મુખ્ય બે ડેમ સિપુડેમ અને દાંતીવાડા ડેમમાં પણ નદીમાં પાણી આવવાથી પાણીની આવકમાં વધારો થયો છે તો બીજી બાજુ પાણીના તળ પણ ઊંચા આવશે જેના કારણે લોકો તેમજ ખેડૂતોમાં ખુશી છવાઈ છે જોકે બનાસનદી બે કાંઠે વહેતી થતાં લોકો નદી જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે અને મોસમની મજા માણી રહ્યા છે.
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદીમાં નવો નીર આવતા જ જિલ્લાવાસીઓમાં ખુશી છવાઈ છે તો બીજી તરફ નદીમાં થઈ રહેલા પાણીના વધારાના કારણે કિનારાના ગામોની મુસીબત વધી શકે તેમ છે.