કેરળ બાદ હવે ઉત્તરાખંડમાં ભારે વરસાદ રૂપી આફતના એંધાણ છે ત્યારે કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી
આગાહીને પગલે કેદારનાથા યાત્રા પર રોક
સ્થાનિકો પણ એલર્ટ રહેવા તંત્રનું સૂચન
કેરળ બાદ ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી
ગુજરાત સહિત દેશભરમાં હાલમાં મેઘરાજાએ વિદાય લીધી છે, જોકે કેરળમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદનાં કારણે 18થી વધૂ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હાલ કેરળમાં પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે એક ડઝન જિલ્લા એવા છે જ્યાં યેલૉ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ સેનાને મોકલવા માટે આગ્રહ કર્યો છે. કેરળમાં આવી પરિસ્થિતિની વચ્ચે હવે ઉત્તરાખંડમાં પણ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે.
આગાહી બાદ તંત્ર એલર્ટ મોડમાં
કેરળ બાદ હવે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ સુધી આખા રાજ્યમાં ભારે વરસા વરસી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરનાં કારણે વરસાદના જોખમને જોતાં તંત્ર દોડતું થયું છે.
આગાહી બાદ કેદારનાથ યાત્રા ઉપર લગાવાઇ રોક
ભારે વરસાદની આગાહીને જોતાં ઉત્તરાખંડમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ ધામ કેદારનાથમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. આગામી જાહેરાત સુધી યાત્રા રોકાયેલી રહેશે અને સાથે સાથે સ્થાનિકોને પણ અલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સ્થાનિકોને એલર્ટ રહેવા માટે પણ આપવામાં આવી સૂચના
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પર્વતોને કારણે ભારે વરસાદ પડે ત્યારે પહાડો તૂટવાના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવે છે જેમા ઘણા લોકો દર વર્ષે પોતાના જીવ ગુમાવે છે.