ઉત્તર ત્રિપુરા, ઉનાકોટિ અને ત્રિપુરાના અનેક જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે. ભારે પૂર આવતા હજારો પરિવારો પૂરની લપેટમાં આવ્યા છે. હજારો મકાનો પૂરના પગલે ધ્વસ્ત થયા છે. તો લાખો લોકો પૂરના પગલે બેઘર બન્યા છે.
એક હજારથી પણ વધુ પરિવારો આ પૂરથી અસરગ્રસ્ત બન્યા છે. તો પૂરના પગલે અહી NDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. અનેક લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.
ઉત્તર ત્રિપુરા, ઉનાકોટિ અને ત્રિપુરાના અનેક જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે. ભારે પૂર આવતા હજારો પરિવારો પૂરની લપેટમાં આવ્યા છે.#Tripura#Rain#heavyrain
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2019
ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ, ફાયર ફાઈટર ટીમ, જિલ્લા અને રાજ્ય તંત્ર પણ બચાવ કાર્યમાં તૈનાત છે. આ સિવાય નૌસેનાની નવ બોટ અને 40 બચાવ બોટ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય હાથ ધરાયુ છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.