ભારતીય હવામાન વિભાગે આગામી અમુક દિવસોમાં ભારતમાં કેટલાય હિસ્સામાં ભારે વરસાદ થવાની ભવિષ્યવાણી કરી છે.
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આપી ચેતવણી
લોકોને આટલી બાબતો ધ્યાનમાં લેવા સૂચના અપાઈ
આ વિસ્તારમાં આગામી દિવસોમાં થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે આગામી અમુક દિવસોમાં ભારતમાં કેટલાય હિસ્સામાં ભારે વરસાદ થવાની ભવિષ્યવાણી કરી છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડીયામાં એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વિપ, 3 સપ્ટેમ્બરના રોજ મેઘાલય, તમિલનાડૂ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરલ અને 4 તારીખે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ તથા આસામમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
ત્યારે આવા સમયે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાને લઈને હવામાન વિભાગના લોકોએ જરુરી એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં વિભાગે વરસાદના કારણે થનારા પ્રભાવ અને તેનાથી બચવા માટે એક જરુરી સલાહ પણ આપી છે.
ભારે વરસાદના કારણે થનારા પ્રભાવ
ભારે વરસાદના કારણે રસ્તા નાળાનું સ્વરુપ ધારણ કરી શકે છે. નિચાણવાળા વિસ્તારમાં ભારે જળપ્રવાહનો સામનો કરવો પડી શકશે. સાથે જ શહેરી વિસ્તારોમાં પણ અંડરપાસમાં ભારે વરસાદના કારણે બંધ થઈ શકે છે.
ભારે વરસાદના કારણે વાહન ચલાવતી વખતે જોવામાં સમસ્યા આવી શકે છે. જેનાથી રોડ અકસ્માત થવાની શક્યતા બની શકે છે.
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. તેનાથી મુસાફરીમાં વધારે સમય લાગી શકે છે. અને મુખ્યશહેરોમાં વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ શકે છે.
કાચા રોડ વધારે પ્રભાવિત થશે અને નુકસાન થવાની પણ ભીતિ છે.
ભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં પાક અને બાગાયતીને પણ નુકસાન થઈ શકે છે.
ભારે વરસાદના કારણે નદીઓમાં પુર આવી શકે છે, તેથી આજૂબાજૂના વિસ્તારને સચેત રહેવા માટે સલાહ આપવામા આવે છે.