મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા મુસળધાર વરસાદના પગલે 6 જિલ્લાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે. સતારા, કુલ્હાપુર, સાંગલી, રાયગડ, રત્નાગીરી અને સિંધુદુર્ગા જિલ્લામાં સ્થિતિ ખરાબ છે.
મહારાષ્ટ્રમાં કુદરતનો કહેર
મુસળધાર વરસાદથી 6 જિલ્લા જળમગ્ન
રાજ્યમાં વરસાદથી 135 થી વધુ લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં કુદરતનો કહેર
ચોમાસાની શરૂઆતથી જ મહારાષ્ટ્ર કુદરતના મારનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 135 થી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે. અનેક વિસ્તારો જળમગ્ન છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. તો વરસાદના કારણે ભૂસ્ખલન પણ લોકો માટે જીવલેણ સાબિત થયા છે. રાયગઢમાં ગત દિવસે બનેલી ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ચૂક્યા છે..તો હજૂ મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં દટાયેલા છે, ત્યારે મુખ્યમંત્રી સહિતના લોકોએ ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો અને લોકોને બચાવવાની અને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કેવો કુદરતનો મહારાષ્ટ્ર પર વરસેલો કોપ જુઓ આ રિપોર્ટમાં.
મુસળધાર વરસાદથી 6 જિલ્લા જળમગ્ન
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને બસ પાણી જ. આકાશી આ દ્રશ્યોને જોતા માત્ર રસ્તા સિવાય જમીન ક્યાંક દેખાતી જ નથી, ચારો દિશામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ જોવા મળી રહ્યું છે, ખેતરો, પાક, ઘર, બધું જ જળમગ્ન છે. કોલ્હાપુરના આ દ્રશ્યો પણ જુઓ. કેટલી ભયાનક પરિસ્થિતિ છે તેનો અંદાજ કોલ્હાપુરના રહેણાક વિસ્તારોમાં ઘુસી આવેલા આ પાણી પરથી લગાવી શકો છો. દરેક દિશામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.આકાશી નજારાને જોયા બાદ હવે જમીન પરની આ સ્થિતિને પણ જુઓ. શહેરો અને ગામડાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે. કોલ્હાપુરમાં તો મોટા ભાગના ઘરોનો પહેલો માળ જ ડુબી ગયો છે. જોકે આ કપરી સ્થિતિમાં પણ NDRFની ટીમ લોકોને બચાવવામાં લાગેલી છે. બોટની મદદથી જવાનો પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મથી રહ્યા છે.
રાજ્યમાં વરસાદથી 135 થી વધુ લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં વરસાદની સાથે ભૂસ્ખલન એક મોટી મુશ્કેલી બનીને સામે આવ્યું છે.. રાયગઢના તલિયા ગામમાં થયેલ ભૂસ્ખલનના કાટમાળમાં હજૂ પણ અનેક જિંદગીઓ દબાયેલી છે. અંદાજીત 40 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
હજૂ પણ વિસ્તારમાં લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. અહીં અંદાજીત 40 ઘરોમાં 100 લોકો રહેતા હતા. પરંતુ હવે અહીં માત્ર સમતલ જમીન જ દેખાઈ રહી છે. અને આજ જમીનની અંદર ઘરો દબાયેલા છે,જેમાં હજૂ 50 થી વધુ જિંદગીઓ દબાયેલી છે. જોકે આ કપરી સ્થિતિનો તાગ મેળવવા ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ પહોંચ્યા હતા. દુર્ઘટના સ્થળ પર પહોંચી ઘટના વિશે માહિતી તો મળવી જ સાથે-સાથે પિડીત પરિવારોને આર્થિક સહાયની જાહેરાત પણ કરી. રાયગઢ સિવાય સતારામાં પણ પહાડ લોકો પર કાળ બનીને તૂટ્યા, જેમાં પડાર પર આવેલા 5 ઘરો આ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા. જેમાં 5 લોકોની મૃત્યુ થઈ ચૂક્યા છે, તો હજૂ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જોકે ભારે વરસાદના પગલે લોકોને બચાવવા માટે NDRFની 34 ટીમો કામે લગાવાઈ છે. જેમાં 8 ટીમો મુંબઈ, પુણે અને નાગપુરમાં રિઝર્વ રાખવામાં આવી છે. આ સિવાય પણ જે જિલ્લામાં ભયાનક સ્થિતિ છે ત્યાં સેના અને નૌસેના દ્વારા પણ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે હજૂ પણ આગામી 3 દિવસ મહારાષ્ટ્ર પર ભારે હોવાની હવામાન વિભાગે આગાહી આપી છે.