રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર વર્તાઇ રહ્યો છે. નવસારી, ભરુચ અને વલસાડમાં નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક લોકોનું સ્થલળાંતર કરાયું છે. તો અનેક લોકો હાલ ફસાયેલા છે. જેમને તંત્ર દ્વારા રેસક્યું કરી બહાર કાઢવાની કામગીરી ચાલું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.
નવસારીમાં અનેક લોકોનું સ્થળાંતર:
રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ છે. અંબિકા નદી અને કાવેરી નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. હાલ લોકોને સલામત સ્થળે પહોંચાડવાના નિર્દેશ આપી દેવાયા છે. નવસારીના અનેક રહેણાંક વિસ્તાર જળબંબાકાર થતા લોકો ચિંતાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં પૂરની સ્થિતિની પહોંચી વળવા માટે NDRFના જવાનો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરાયું છે. નવસારીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા અનેક લોકો ફસાયા છે. ત્યારે હવે મેઘર ભાટ ગામમાં આવેલા ઝીંગા તળાવ પાસે 30 લોકોનુ બે હેલિકોપ્ટરથી રેસ્ક્યું કરાયું છે. પૂરની સ્થિતિ સર્જાતા ઝીંગા તળાવ પાસે 30 લોકો ફસાયા હતા. તળાવ સુધી પહોંચવાના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જેને લઈ કલેક્ટરે ફસાયેલા લોકોની મદદ માટે હેલિકોપ્ટરથી મદદની માગ કરી હતી. ત્યારે હવે ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યું કરાયું છે.
નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પૂર્ણા નદીના પાણી વધી જતા કાંઠાના ગામોમાં એલર્ટ આપી દેવાયું છે. કાંઠા નજીકના ગુરુકુલ સુપા ગામે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ગામમાં નદીના પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે. તો ગણદેવી તાલુકામાં આવેલી અંબિકા નદીની જળસપાટીમાં વધારો થયો છે. નદીની જળસપાટી ભયજનક કરતા 3 ફૂટ વધી છે. નદીની સપાટી વધતા નદી કિનારાના 24 ગામમાં પાણી ઘુસ્યા છે. ગણદેવીના ગામ અને બીલીમીરો શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘોલ ગામમાં હાલમાં લોકો હોડીના સહારો લેવા માટે મજબૂર બન્યા છે. પૂરની પરિસ્થિતિના કારણે ગામમાં NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.
ભરૂચમાં જિલ્લામાં પૂરની પરિસ્થિતિ:
ત્યારે ભરૂચમાં જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચમાં મકાનની દિવાલ પડી જતા 3 બાળકોના મોત નિપજ્યા છે. વાગરા તાલુકાના નાડીદા ગામમાં કાચુ મકાન ધરાશાયી થઇ ગયું હતું.ત્યારે મકાનના કાટમાળ નીચે 3 બાળકો સહિત 5 લોકો દટાઇ ગયા હતા. જેમાં 2 ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો હાંસોટમાં 952, આમોદમાં 241, જંબુસરમાં 250 લોકોનું સ્થાળાંતર કરાયું છે. તો NDRFએ અત્યાર સુધી જિલ્લામાંથી 1442 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યારે કાંકરિયા, જૂના વાડિયા, જૂના દાદાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે.
વરસાદના કારણે કોબલા, પૂરસા, માનસિંગ પુરા ગામ બેટમાં ફેરવાયુ છે. તંત્રની મદદથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાચા હાલાકી થઈ રહી છે. SP સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.
વલસાડમાં ધોધમાર વરસાદ, ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ:
સતત વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં સૂરજ દેવના દર્શન થયા નથી અને સમગ્ર વાતાવરણ અંધકારમય લાગી રહ્યું છે. આજે સવારથી જ ઔદ્યોગિક નગરી વાપીમાં વરસાદ વરસી રહ્યો છે અને વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. તો વાપીના મુખ્ય પોશ વિસ્તાર એવા ગુંજન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ગુંજન વિસ્તારમાં આવેલી મુખ્ય રાજમાર્ગ પર નદી વહેતી થઇ છે. જેના કારણે મુસાફરો અને લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે હવે વાપી વાસીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તો ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ હાલ NDRF અને ફાયરની ટીમ સાથે પોલીસ જવાનોની ટીમ પણ ખડકી દેવામાં આવી છે. ઔરંગા નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધતા નદી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે વલસાડના કશ્મીરા નગરમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઔરંદા નદી કિનારાના પીચિગ, છીપવાડા, તરીયાવાડ, કૈલાસનગર, લીલાપોરમાં પાણી ભરાયા હતા.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી:
રાજ્ય ભરમાં વરસાદી માહોલ યથાવત રહી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારમાં મેઘરાજા મહેર બની વરસ્ય છે. તો ક્યાંક કહેર બની ગયા છે ત્યારે હવામાને પણ આગાહી કરી છે કે ગુજરાત પર આગામી 2 દિવસ વરસાદી સંકટ યથાવત રહેવાનું છે. જેમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે જે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાને આપી છે. સાથે જ મધ્ય ગુજરતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. મહત્વનું છે કે વરસાદી સીસ્ટમ વધુ મજબુત બનતા જેની અસર ગુજરત અને મહારાષ્ટ માં જોવા મળી રહી છે જેને લઈને મુબઈ તંત્ર તરફથી પણ તંત્ર એ મુબઈ વાસીઓ ને એલટ આપ્યું છે. ભારે વરસાદ પડવાની આગાહી કામ સિવાય બહાર ન નિકળવા તંત્રએ મુંબઈગરાઓને આદેશ કર્યો છે તો મુંબઈમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે સ્કાય મેપ દ્મમાં પણ ભારે વારસદની આગાહી કરાઈ છે.
સુરતમાં વરસાદી કહેર યથાવત્:
સુરતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી આજે સુરતીઓને રાહત મળી છે. શહેરમાં આજે ભારે વરસાદે વિરામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં મોડી રાતથી સવાર સુધી માત્ર ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જોકે શહેરના લીંબાયત અને પરવત વિસ્તારમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. ત્યારે હવે મીઠી ખાડી ઓવરફ્લો થતા કેટલાક વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારે વરસાદ થતા કીમ નદીમાં પાણીની આવક થઈ છે. ઘોડાપૂર આવતા કીમ નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભારે વરસાદની આગાહીને લઈને નદીના કાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રેસ્ક્યુની ટીમને પણ એલર્ટ રહેવાના આદેશ અપાયા છે.
વડોદરા ફરી હાઈઅલર્ટ પર વધુ વરસાદની શક્યતા:
જ્યારે વડોદરામાં હવામાન વિભાગે ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરી છે. હજી વડોદરાવાસીઓ પૂરની સ્થિતિમાંથી બહાર આવ્યા છે. ત્યારે હવે ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આગામી 36 કલાકમાં વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહીને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાના આદેશ પણ અપાયા છે. વડોદરામાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 26 ફૂટ છે. હાલમાં નદીની સપાટી 28 ફૂટે વહી રહી છે. શહેરમાં નગરપાલિકી, ફાયર બ્રિગેડ અને NDRFને સ્ટેન્ડ ટૂ રહેવાના આદેશ અપાયા છે. તો ડભોઇ પથકમાં ઢાઢર નદીના પાણી ઘુસી જતા 6 ગામો સંપર્ક વિહોણા થયા છે.
ખેડામાં ધોધમાર વરસાદ:
જ્યારે ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ મહીસાગર નદીનું જળસ્તર વધ્યું છે. તો વાણાકબોરી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતીમાં છે. હાલમાં વાણાકબોરી ડેમની સપાટી 119.75 ફુટ પર છે. જ્યારે ખેડા જીલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.