ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં સૌથી ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઇને હવે દ્વારકામાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતી જોવા મળી રહી છે.
દ્વારકા જિલ્લામાં ગત 4 દિવસ વરસેલા ભારે વરસાદે સર્જી તારાજી
ભારે વરસાદના પગલે ખેતરો થયા પાણીમાં ગરકાવ
મગફળીના પાકને વ્યાપક નુકસાનના મળ્યાં અહેવાલ
દ્વારકા જિલ્લામાં સતત 4 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. 4 દિવસના ભારે વરસાદે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં તારાજી સર્જી છે. અહીં ખેડૂતોને નુકસાન ભોગવાવનો વારો આવ્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં મગફળીને પાકને મોટું નુકસાન થયું છે.
ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવણી બાદ ભારે વરસાદના કારણે મગફળીનો પાક સંપુર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાના અહેવાલ મળી રહ્યાં છે.
કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના પગલે નદીઓના પાણી ખેતરોમાં ઘુસી જતાં જમીન ધોવાઇ જતાં ખેડૂતોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે.