ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. રાજ્યભરમાં કેટલાંક જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ડાંગર, શાકભાજી સહિતના પાક નષ્ટ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન
જિલ્લામાં ડાંગર, શાકભાજી સહિતના ખેતીપાક નષ્ટ
4600 હેકટર જમીનમાં પાક નાશ પામ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. જિલ્લામાં ડાંગર, શાકભાજી સહિતના ખેતીપાક નષ્ટ થયો છે.
જિલ્લાના 4600 હેકટર જમીનમાં પાક નાશ પામ્યો છે. ઓલપાડ તાલુકામાં 2000 હેકટરમાં પાકને નુકસાન થયું છે. ઉમરપાડા તાલુકામાં 900 હેકટર જમીનમાં પાક ધોવાયો છે. રાજ્યમાં ભારે વરસાદ અને પવનને લીધે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. પાક નુકસાનીનો રી-સર્વે કરવા ખેડૂત સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.