રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે અને 4થી 10 સપ્ટેબર સુધી ફરી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બનાસકાંઠા, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બરડા ડુંગર વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત જામનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર, આહવા, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ચોમાસું સ્થિર રહેશે અને 1 સપ્ટેમ્બરથી ચોમાસા ઓછું થતું જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ, નવસારીના વિસ્તારોમાં વરસાદ રહેશે.
વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, બોટાદ અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. કચ્છ જિલ્લાના વિસ્તારોમાં દિવસભર વરસાદી માહોલ રહેશે.