દેશના દક્ષિણ ભાગમાં વરસાદનો કહેર સતત ચાલુ છે ત્યારે જનજીવન જોખમાયું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક છે. ખેડૂતોનો પાક પણ બરબાદ થી ચૂક્યો છે. હૈદરાબાદમાં સડક પર નદી જેવું પાણી વહી રહ્યું છે. અનેક વાહનો તણાઈ ચૂક્યા છે અને સાથે 50 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હૈદરાબાદમાં વરસાદથી સ્થિતિ કથળી
અત્યારસુધીમાં 50 લોકોના થયા છે મોત
પાક બરબાદ થતાં ખેડૂતો પણ મૂકાયા મુશ્કેલીમાં
હૈદરાબાદમાં શનિવારે અનેક વિસ્તારોમાં રાતે ધોધમાર વરસાદ થયો છે. આ સિવાય છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદથી ભારે અફરાતફરી મચી છે. જનનજીવન જોખમાયું છે. હવામાન વિભાગે અહીં આજે પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે 50 લોકોના મોત થચા છે. ડીઆરએફ અને જીએચએમસીની ટીમ સતત કામગીરી કરી રહી છે.
આંધ્રના સીએમએ કેન્દ્રની પાસે માંગી 2250 કરોડ રૂપિયાની મદદ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂર બાદ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે 2250 કરોડ રૂપિયાની મદદ માંગી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં 9-13 ઓક્ટોબર સુધીના ભારે વરસાદથી જનજીવન અને પૂરના કારણે લગભગ 4450 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સડક અને વિજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે તો અન્ય તરફ ખેડૂતોનો પાક પણ બરબાદ થયો છે. વરસાદમાં અહીં 14 લોકોના જીવ ગયા છે.
Telangana: Several parts of Hyderabad continue to remain flooded following incessant heavy rains here. pic.twitter.com/kWHFZOy1vG
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે સોલાપુરના વરસાદ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે. તેઓએ કહ્યું કે આ સિવાય મુખ્યમંત્રી મંગળવારે ઉસ્માનાબાદના વિસ્તારની મુલાકાત લેશે. થોડા દિવસોમાં જ પુના, ઔરંગાબાદ અને કોંકણ ડિવિઝનમાં ભારે નુકસાન થયું છે. આ સાથે અહીં 48 લોકોના મોત થયા છે. સોલાપુર,સાંગલી, પુનામાં ભારે વરસાદ અને ત્યાર બાદ આવેલા પૂરમાં 1021 મવેશીઓ મૃત્યુ પામ્યા છે. 3156 મકાનો તૂટ્યા છે. 100 ઝૂંપડીઓ નષ્ટ થી છે. સોલાપુર, સાંગલી, સતારા અને પુનામાં 10349થી 40036 થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે.