મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને તેની આસપારના વિસ્તારમાં ભારે વરસાદને કારણે જીનજીવન પર અસર થઇ છે.
હવામાન વિભાગ અનુસાર, ગત 24 કલાકમાં મુંબઇમાં 150-180 મિલીમીટર સુધી વરસાદ થયો છે. શનિવારના પણ ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન લોકોને બહાર ના નીકળવાની અને સમુદ્ર તટ પર ના જવાની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે અત્યાર સુધી 24 ઉડાનો પર અસર થઇ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનોની વચ્ચે પાણીથી ભરેલી ટ્રેક પર ફસાઇ ગઇ છે, જેમાં 2000 યાત્રીઓને નીકાળવા માટે NDRFની ટીમ રવાના થઇ ચૂકી છે.
હવામાન વિભાગ અનુસાર, મુંબઇકરોને હજુ પણ વરસાદમાંથી રાહત મળે તે માટે કોઇ શક્યતા નથી. શુક્રવારના વિભાગની તરફથી જારી કરવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર, રાજધાની અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. વિભાગ અનુસાર, આગામી 4 કલાક દરમિયાન ઠાણે, રાયગઢ અને મુંબઇમાં 50-60 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ સિવાય આગામી 48 કલાકમાં ઉત્તરી કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.
7 ફ્લાઇટ્સ કેન્સલ:
Mumbai International Airport Limited (MIAL) Public Relations Officer: 9 flight diversions have taken place so far. Visibility fluctuating from time to time.
ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે રાજ્યની હવાઇ યાત્રા પર અસર થઇ છે. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીએ જણાવ્યુ કે, ગત કલાકોમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ ઉડાન અડધો કલાક મોડી છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના PR તરફથી કહેવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી 24 ઉડાનો પ્રભાવિત થઇ છે, જેમાંથી 7 કેન્સલ કરવામાં આવી છે અને 9ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 8 ઉડાનોની છેલ્લા સમયમાં લેન્ડિંગ કેન્સલ કર્યા પછી ફરી લેન્ડ કરવામાં આવી છે.
હવામાન વિભાગે જારી કર્યુ ઓરેન્જ એલર્ટ:
Indian Meteorological Department (IMD): Due to the strengthening of monsoon currents & formation of low pressure area over North West Bay of Bengal, rainfall intensity is very likely to increase over North Konkan during next 48 hours. pic.twitter.com/yqINSlKjAQ
આ પહેલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ સ્થિત ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રે શુક્રવારે ઠાણે અને પૂણેમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. આ પહેલા 26-28 જૂલાઇ સુધી પાલઘરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી ચૂક્યુ હતુ. તમને જણાવી દઇએ કે, વરસાદની અલગ-અલગ સ્થિતિઓ માટે રેડથી લઇને ઓરેન્જ સુધીના એલર્ટ જારી કરવામાં આવે છે. જેમાં ઓરેન્જ એલર્ટ અધિકારીઓને ગંભીર પરિસ્થિતિઓની સામનો કરવા માટે તૈયાર રહેવાનું સિગ્નલ હોય છે.
લોકોને સતર્ક રહેવા માટે આદેશ:
હવામાન વિભાગના અધિકારી અનુસાર, 27 જૂલાઇથી ભારે વરસાદની આશંકાને કારણે લોકોને સતર્ક રહેવાની જરૂ છે કેમકે આવી પરિસ્થિતિમાં જૂના મકાનો અથવા તો દિવાલો પડવાની ઘટના બની શકે છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગત દિવસોમાં દિવાલો પડવાને કારણે ઘણા લોકો ઘાયલ થઇ ગયા છે. એવામાં આ દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે.
આ સિવાય વરસાદને કારણે રેલ સેવાઓ પર પણ અસર થઇ રહી છે. મુંબઇ લોકલની સેન્ટ્રલ લાઇન પર સ્થિત બદલાપુર રેલ્વે સ્ટેશનનું રેલ્વે ટ્રેક વરસાદના પાણીમાં ડૂબી ગયા છે.
આ સાથે જ હવામાન વિભાગ અનુસાર, મૉનસૂન ફરી એક વખત એક્ટિવ થવા પર મુંબઇ અને ઠાણેમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ક્ષેત્રીય હવામાન વિભાગના ઉપ મહાનિદેશક અનુસાર, મધ્ય અને ઉત્તર પ્રશ્ચિમ ભારતમાં એક મજબૂત મૉનસૂનની સ્થિતિ જોવા મળી રહી છે.