રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે નવરાત્રીમાં વરસાદની આગાહીને લઇને આયોજકોએ અટવાયાં છે. જો કે આગામી ત્રણ દિવસની આગાહીના પગલે નોરતામાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.
પહેલા 3 દિવસના નોરતામાં હળવા વરસાદની શક્યતા
આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં વરસાદની મેઘમહેર જોવા મળી
2 ઓક્ટોબર સુધી ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ઓક્ટોબર સુધી ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઇને રાજ્યમાં પહેલા 3 દિવસના નોરતામાં હળવા વરસાદની શક્યતા છે. નવરાત્રીમાં વરસાદથી ગરબા આયોજકો અટવાયા ગયા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની મેઘમહેર જોવા મળી
રાજ્યમાં 2 ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રની મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આમ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલા જોવા મળ્યાં છે. જ્યારે ભારે વરસાદના પગલે કેટલાંક ડેમો અને તળાવો છલકાયાં છે. દ્વારકાના લાંબા ગામમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવડમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદને લઇને ગરબા આયોજકો ચિંતામાં
રાજ્યમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે તેમ છતાં હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. નવરાત્રીના પ્રથમ દિવસની મજા તો વરસાદે બગાડી દીધી. પણ હજુય પણ 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે. જેના કારણે 2 ઓક્ટોબર સુધી વરસાદ ખેલૈયાઓને નિરાશ કરશે. જ્યારે વરસાદના કારણે ગરબા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં 90 જેટલા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. જ્યારે સુરતમાં 60 અને વડોદરામાં 30 જેટલા આયોજકોને વરસાદે ચિંતામાં મુકી દીધા છે. આ તરફ રાજકોટમાં પણ આયોજકો વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે અનેક પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ ગયા છે. જે ગરબા આયોજકો માટે ચિંતાનો વિષય બન્યો છે.