રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. મોડીરાત્રે નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાથી 4ના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. તો રાજ્યમાં આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદના પગલે નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે . સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.
ભારે વરસાદના કારણે નડિયાદના પ્રગતિનગરમાં આવેલ એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થયો છે. આ એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા છે. જોકે ધારાશાયી થયેલી બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની જૂની ઇમારત છે.
દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડ, NDRF અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયરવિભાગના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. કાટમાળ નીચે 8થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે કાટમાળ હટાવવાની કામગીરી સતત શરૂ છે. મહત્વનું છે કે, જર્જરિત ઇમારતને ખાલી કરવા અગાઉ નોટિસ અપાઇ હતી. નોટીસ બાદ પણ ઇમારતને ખાલી કરવામાં આવી ન હતી.