હિન્દુવાદી સંગઠન બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા બાદ કર્ણાટકના શિવમોગા શહેરમાં ભારે તણાવ છે. ઉપદ્રવીઓએ શહેરની અંદર કેટલાય વાહનોને આગ લગાવી દીધી હતી, તો કેટલીય જગ્યાએ તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હતો.
ફેસબુક પોસ્ટ લખવા બાબતે કાર્યકર્તાની હત્યા
હત્યા બાદ માહોલ ગરમાયો
શિવમોગામાં 144 લાગૂ કરી
હિન્દુવાદી સંગઠન બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા બાદ કર્ણાટકના શિવમોગા શહેરમાં ભારે તણાવ છે. ઉપદ્રવીઓએ શહેરની અંદર કેટલાય વાહનોને આગ લગાવી દીધી હતી, તો કેટલીય જગ્યાએ તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હતો. ઘટના બાદ શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ પ્રકારની જાણકારી આપી છે. પોલીસે ઉપદ્રવીઓ પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
We have instructed police officials to analyse the situation and maintain law & order; have to take care for 2-3 days: Karnataka Home Minister Araga Jnanendra on violence breaking out in view of the murder of Bajrang Dal activist Harsha
દરજીનું કામ કરતા બજરંગ દળના 26 વર્ષિય કાર્યક્તા હર્ષને કાલે રાતના લગભગ 9 કલાકે અજ્ઞાત લોકોએ ચાકૂ મારી દીધું હતું. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. બાદમાાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ તેને બતાવી શક્યા નહીં. પોલીસે હત્યાના આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.
આ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ કેટલાય વાહનોમાં આગ લગાવી દીધી હતી. આગની આ ઘટનાને રોકવા માટે પોલીસે આ વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત પ્રશાસને સાર્વજનિક સમારંભો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસને આગામી આદેશ સુધી સ્કૂલ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પ્રતિબંધો હોવા છતાં પણ બજરંગ દળના સમર્થકોની ભારે ભીડ યુવકના શબને ઘર લઈ જતી વખતે સાથે દેખાઈ હતી.
રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંદ્રએ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં હત્યા અને હિજાબ વિવાદની વચ્ચે કોઈ સંબંધ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે, હિદાબ મુદ્દે આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. આ અલગ અલગ કારણોથી આવું થયું છે. શિવમોગા એક સંવેદનશિલ શહેર છે.
કર્ણાટકના મુખ્યમનંત્રી બસવરાજ એસ બોમ્મઈએ કહ્યું કે, પોલીસને તપાસ દરમિયાન કેટલાય મહત્વની કડીઓ મળી છે અને તે તેના પર કામ કરી રહ્યા છે.
આ તમામની વચ્ચે કર્ણાટકના ગ્રામિણ વિકાસ મંત્રી કેએસ ઈશ્રપ્પાએ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર પર હિજાબ વિવાદમાં કરવામાં આવેલી ટિપ્પણીને હત્યા માટે ઉકસાવાનું કારણ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઈશ્વરપ્પાએ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર પર આરોપ લગાવ્યો હતો કે, તેમના નિવેદનથી અલ્પસંખ્યક સમુદાયમાં અસામાજિક તત્વોને ઉકસાવ્યા છે.
મંત્રીએ હર્ષને એક ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ ગુંડાઓએ તેની હત્યા કરી નાખી. હાલમાં જ ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય ધ્વજને ભગવા ધ્વજ તરીકે બદલી નાખ્યો છે અને હિજાબ વિવાદના વિરોધ માટે સૂરતમાં એક કારખાનામાં લગભગ 50 લાખ ભગવા શાલ મગાવામાં આવી હતી. તેમના આ પ્રકારના નિવેદન બાદ ગુંડાગીરી વધી.
ઈશ્વરપ્પાની ટિપ્પણીના જવાબ આપતા ડીકે શિવકુમારે કહ્યું કે, તે એક પાગલ માણસ છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ કહ્યું કે, તેમની જીભ અને દિમાગ વચ્ચે કોઈ સંબંધ ન થી. ભાજપના નેતૃત્વએ તેમને હટાવી દેવા જોઈએ.
વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંદ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે. એટલા માટે ત્તાત્કાલિક તેમને પદ છોડી દેવું જોઈએ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે, હુમલો ચાર લોકોએ કર્યો હતો. હત્યાને હિજાબ વિવાદ સાથે જોડવાની વાતને તેમણે ફગાવી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે, હર્ષ હુમલાખોરોને જાણતો હતો, અને આ જૂની અદાવત હોવાનું પરિણામ છે.
બજરંગ દળના રાજ્ય સંયોજક રઘુ સકલેશપુરે કહ્યું કે, તે મામલામાં પોલીસની કાર્યવાહીથી ખુશ નથી. તે એક સક્રિય સભ્ય હતો. અમે ટૂંક સમયમાં કાર્યવાહીનો નિર્ણય કરીશું.