ગાજીપુર બોર્ડર પર રાતે અચાનક પોલીસ ફોર્સ વધારવા અને ધરના પ્રદર્શનવાળી જગ્યાઓ પર વીજળી કાપી નાંખ્યા બાદ લેટ નાઈટ પોલીસ એક્શનની આશંકા વધી ગઈ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી બાદ લગભગ અડધી રાતે સ્થળ પર ગાજિયાબાદના મોટા પોલીસ અને પ્રશાસનિક ઓફિસરો પહોંચ્યા હતા. જો કે તેઓ ત્યાંથી પાછા ફરી ગયા હતા પરંતુ પોલીસ દળની તૈનાતી યથાવત છે.
ખેડૂતોને પોલીસ કાર્યવાહીની આશંકા પણ સતાવી રહી છે
પોલીસની તૈનાતી અને વીજળી કટ કરી ડર ફૈલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે- ટિકૈત
ટિકૈત સહિત એફઆઈઆરમાં ખેડૂત નેતાઓની ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે
ટિકૈતની ધરપકડ થશે?
ઘરણા સ્થળ પર ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની હાજરનીના કારણે આ પ્રકારની અટકણો લગાવાઈ રહી હતી કે રાતમાં તેમની ધરપકડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસના પ્રસંગે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલામાં ટિકૈતની વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઈ છે. આ કારણે ટિકૈત સહિત એફઆઈઆરમાં ખેડૂત નેતાઓની ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.
પોલીસની તૈનાતી અને વીજળી કટ કરી ડર ફૈલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે- ટિકૈત
બીજી તરફ રાકેશ ટિકૈતે વીજળી કાપવાના કૃત્યને ડર ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે નિવેદનમાં કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતોની વીજળી કાપી નાંખવામાં આવી છે. ટિકૈતે કહ્યું કે સરકારે ડરાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાતી અને વીજળી કટ કરી ડર ફૈલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ખેડૂતોને પોલીસ કાર્યવાહીની આશંકા પણ સતાવી રહી છે
ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાથી ખેડૂત આંદોલન નબળુ પડતુ જણાઈ રહ્યું છે. 2 ખેડૂત સંગઠન હવે કિનારા કરી ચૂક્યા છે. આંદોલનના ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જો કે ટિકૈત અને સંયુક્ત ખેડૂત મોર્ચાએ કહ્યું કે ખેડૂત આંદોલન ચાલું રહેશે. ટ્રેક્ટર રેલી હિંસા બાદ પ્રદર્શનકારી ખેડૂતોને પોલીસ કાર્યવાહીની આશંકા પણ સતાવી રહી છે.
હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી
બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું કે ગત રેલી દરમિયાન હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ પોલીસે પણ અજ્ઞાત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ પ્રદર્શન કારીઓમાં ટ્રેક્ટર ચઢવાના કારણે મરનારા ખેડૂતનું નામ પણ સામેલ છે. આ જાણકારી પોલીસ તરફથી મળી છે. આ ઘટનાઓ બાદ હવે સરકાર અને પ્રશાસન પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે.
ખેડૂત નેતાઓના ફરિયાદમાં નામ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર દિલ્હી પોલીસની એફઆઈઆરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અંગેની એનઓસીનું ઉલંઘન માટે ખેડૂત નેતા દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બુટા સિંહ બુર્જિલ અને જોગિંદર સિંહ ઉગ્રાહાના નામનો ઉલ્લેખ છે. FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ છે.