યાત્રાધામ ડોકોર નજીક કેનાલમાંથી માનવ કંકાલ મળી આવ્યુ છે. સુઇગામની કેનાલ નજીક માનવ કંકાલ મળતા ભારે ચર્ચા જાગી છે. મહી કેનાલની માઈનોર કેનાલમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. સુઈગામના સ્થાનિકે કંકાલ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ માટે માનવ કંકાલના પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યુ છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, ઠાસરા તાલુકાના સુઈ ગામમાં પટેલ ફળીયામાં રહેતા શીતલકુમાર નરેન્દ્રભાઈ પટેલે ડાકોર પોલીસને જાણ કરી હતી કે, સુઈ ગામના લાટ વિસ્તારમાં ડાકોર વિશાખા કેનાલના ગેટ નંબર ૪ર૦૦ના ત્રણ નળ પૈકી એક નળની અંદર લોખંડના ગેટની નીચે ઝાડી-ઝાંખરાંમાં એક માનવ કંકાલ(હાડપીંજર) પડેલ છે. માનવ કંકાલના હાડકા,ખોપરી છુટા છવાયા પડેલા છે.
આ માનવ કંકાલ સ્ત્રી કે પુરૃષનું છે, તે બાબતે કોઈ જાણકારી મળેલ નથી, જેને આધારે ડાકોર પોલીસના પીએસઆઈ આર.બી.ચાવડાએ એક્જી.મેજીસ્ટ્રેટની હાજરીમાં માનવ કંકાલનું પંચનામું કરીને પી.એમ.માટે ઢુણાદરાના મેડીકલ ઓફિસરને સ્થળ ઉપર જ બોલાવી લીધા હતા.
જેઓએ સ્થળ ઉપર જ પી.એમ.કરીને માનવ કંકાલની જાતિ,ઉંમર અને મૃત્યું વિષયની વધુ જાણકારી માટે એફ.એસ.એલ.વાન દ્વારા અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં મોકલી આપવાીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ ડાકોર પીએસઆઈ ચાવડા કરી રહ્યા છે.