દેશમાં કોરોના વારસના સંક્રમણના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. તેના પ્રસારને રોકવા માટે લગાવામાં આવેલ લૉકડાઉન 3 મે પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના વાયરસ મહામારીના સંબંધમાં જાણકારી આપી.
દેશમાં ગત 24 કલાકમાં દેશમાં 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા
24 કલાકમાં કોરોનાથી 72 લોકોના મોત, અત્યાર સુધીમાં કુલ 1147 લોકોના મોત થયા
આ દરમિયાન બતાવાયું કે ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યોને પત્ર લખ્યો છે અને ગાઇડલાઇન્સ તરફ ધ્યાન દોર્યું છે. ગૃહ મત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ખાલી અને ભરેલા ટ્રકોને અવર-જવર માટે પાસની જરૂર નથી. આમ એટલા માટે કરવામાં આવ્યું છે જેથી જરૂરી સામાનની આપ-લે થઇ જારી રહી શકે.
In the last 24 hours, 1993 positive cases reported; the total number of positive cases is now 35,043: Lav Agrawal, Joint Secy, Health Ministry pic.twitter.com/F2oP1zpTEM
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35043 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં દેશમાં 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 25007 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8888 લોકો કોરોના બીમારીથી ઠીક થયા છે. જ્યારે દેશમાં કોરોના બીમારીથી રિકવરીનો રેટ (સાજા થવાનો દર) વધીને 25.37 ટકા થયો છે.
જ્યારે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 72 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1147 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં જરૂરિયાતમંદ લોકોને માસ્ક અને સેનેટાઇઝર વહેંચવામાં આવી રહ્યા છે.