રાજ્યમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી યેલો એલર્ટ જાહેર કર્યુ છે. શહેરમાં આગામી 5 દિવસ 43 ડિગ્રી જેટલુ તાપમાન રહે તેવી આગાહી કરાઈ છે.
રાજ્યમાં ગરમીનો કહેર હજુ પણ યથાવત્ રહેશે. સુકા પવનો ફુંકાવાના કારણે રાજ્યભરમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. તો આગામી 5 દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે. જેના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે તેવી શક્યતાને ધ્યાને રાખી એલર્ટની જાહેરાત કરવામાં આવ્યું છે. અમદાવાદીઓને કાળજાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાનાં કારણે ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે. જેનાં કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે.