બિહારમાં લૂ લાગવાને કારણે શનિવારે 40 લોકોના મોત થઇ જવાથી ચકચાર મચી ગઇ છે. લૂથી પ્રભાવિત લોકોને ગયાના નારાયણ મગધ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટમાં ગંભીર સ્થિતિમાં ભરતી કરવામાં આવ્યા છે. ભરતી કરવામાં આવેલા લોકોમાં મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સામેલ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મરનાર 40 લોકોમાંથી 14 ગયાના અને 27 લોકો ઔરંગાબાદના છે. ગયાના મગધ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લૂના શિકાર લોકોનો ઇલાજ યુદ્ધ સ્તરે કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ લૂ લાગવાને કારણે મૃત્યું પામનાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એમણે આ મુશ્કેલ સમયમાં પ્રભાવિત પરિવારો સાથે છે. આ સાથે જ એમણે બિહારમાં આ ભીષણ ગરમી અને લૂના પ્રભાવ સામે પગલા ઉઠાવવા નો પણ નિર્દેશ કર્યો છે. મુખ્યમંત્રીએ પ્રભાવિત લોકો માટે તત્કાલ તમામ મેડિકલ મદદ પહોંચાડવાની વ્યવસ્થા કરવા કહ્યું છે. અને જલ્દી સ્વસ્થ થવા અનુરોધ કર્યો છે.
ગયાના જિલ્લાધિકારી અભિષેક કુમારે પ્રભાવિત લોકોને જોવા હોસ્પિટલ પહોંચ્યા. એમણે બતાવ્યું કે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા મદદ રૂપે આપવાની સરકારે જાહેરાત કરી છે. આ રકમ મુખ્યમંત્રી રાહત કોષમાંથી આપવામાં આવશે. બીજી તરફ બિહારમાં મગજના તાવ(Encephalitis) ને કારણે ગત 15 દિવસમાં જ 73 બાળકોના મોત થઇ ચૂક્યા છે.