શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં 40 ટકાથી વધુનો ભાવ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન બન્યો છે. સામાન્ય દિવસોમાં રૂ. ૪૦નાં કિલો લેખે મળતાં કોથમીર, લીંબુ, લીલાં મરચાં હાલમાં રૂ. ૧૬૦ના કિલો થયા છે. જ્યારે રૂ. 40થી 60ના કિલો પ્રમાણે મળતાં શાકભાજીના ભાવ રૂ. 120થી રૂ. 140ને આંબી જતાં લોકોમાં બુમરાણ મચી છે. આમ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં 40 ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે તેથી ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ. 40ના કિલો મળતાં હતાં તે વધીને રૂ. 140ની આસપાસ થયા છે. જેમાં ટામેટા ,લીંબુ ,આદુ પરવળ, વટાણા, ચોળી જેવાં શાકના ભાવમાં 40 ટકા ભાવ વધી ગયા છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોઈ તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.