અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઇને આજે યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથવાત
આજે અમદાવાદમાં યલો અલર્ટની આગાહી
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઇને આજે યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે સુરત 41.2 ડિગ્રી અને વડોદરા 41.5 ડિગ્રીએ પહોચ્યો છે.
તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચ્યું છે. તો ગરમીના કારણે તળાવોના પાણીના સ્તરમાં પણ ઘટાડો જોવા મળે છે. આ સાથે લોકોમાં પણ ડિહાઈડ્રેશન અને ઝાળા-ઉલટીની સમસ્યા સામે આવે છે. ઉકળાટના વાતાવરણના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતા કાળજાળ ગરમી પડી રહી છે, માનવી તો ઉનાળાના સમયમાં ગરમીથી બચવા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે જ છે. પરંતુ અબોલ પક્ષી અને પ્રાણીઓનું શું, તેઓ માટે કઇક કરવું તે પણ માનવીની જ નૈતિક ફરજનો એક ભાગ છે. આ વાતને ધ્યાનમાં રાખતા 365 દિવસ કાર્યરત રહેતી એનિમલ લાઇફ કેરની ટિમ અને શારદા સેવા સંસ્થાન દ્વારા આ બીડુ જડપ્યુ હતું. અને આ ઉનાળાની કપરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
જેમાં ખૂબ જ મોટી સંખ્યમાં લોકો એકઠા થયા હતા. બીજી તરફ એક સમળી ગરમીને કારણે ડિહાઇડ્રેશનનો શિકાર થઇ હતી તેને પણ એનિમલ લાઇફ કેરના વિજય ડાભી દ્વારા સારવાર આપવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાએ જનતાને એક સંદેશો પણ આપ્યો હતો કે તમામ લોકોએ ખાસ ઉનાળાના સમયમાં પક્ષીઓ અને બીજા પશુઓ માટે પોતાના ઘરની બહાર એક પાણીનું કુંડુ તો મુકવું જ જોઇએ.