ભારતના રજિસ્ટાર જનરલ અને જનસંખ્યા કમિશનરના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે 2020ના વર્ષમાં હૃદયરોગ, અસ્થમા અને ન્યૂમોનિયાને કારણે 35 લાખથી વધારે લોકોના મોત થયા હતા.
સરકારે બહાર પાડ્યાં 2020ના મોતના આંકડા
ભારતના રજિસ્ટાર જનરલ અને જનસંખ્યા કમિશનરના રિપોર્ટમાં ખુલાસો
હૃદયરોગ, અસ્થમા અને ન્યૂમોનિયાથી ચેતવાની જરુર
2020માં હૃદયરોગ, અસ્થમા અને ન્યૂમોનિયાએ 35 લાખથી વધુ લોકોનો ભોગ લીધો
કુલ 81.15 લાખમાંથી 42 ટકા મોત આ ત્રણ રોગને કારણે થયા
હૃદયરોગ, અસ્થમા અને ન્યૂમોનિયાથી હવે બચવાની ખરી જરુર છે. આ ત્રણ રોગે 1 વર્ષમાં 35 લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો તેવું એક સરકારી રિપોર્ટમાં ખુલાસો થયો છે.
Heart diseases, pneumonia and asthma together claim highest number of lives - over 42 per cent - of the total 81.15 lakh medically certified deaths registered in country in 2020, says report prepared by India's Registrar General and Census Commissioner
કોરોનાને કારણે 9 ટકા એટલે કે 1,60,618 લોકોના મોત
રજિસ્ટાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ ઓન મેડિકલ સર્ટિફિકેશન ઓફ સેન્સસ ઓફ ડેથ 2020માં એવું જણાવાયું છે કે દેશમાં કોરોનાને કારણે 9 ટકા એટલે કે 1,60,618 લોકોના મોત થયા છે.
લોહીના રોગને કારણે 32.1% લોકો તો શ્વાસોચ્છાસના રોગને કારણે 10 ટકા લોકોના મોત
રિપોર્ટ અનુસાર દેશમાં લોહીના રોગને કારણે 32.1% લોકોના મોત થયા છે તો શ્વસન તંત્ર સંબંધિત બીમારીઓને કારણે 10 ટકા લોકોના મરણ થયા છે.
ન્યૂમોનિયા, અસ્થમા અને હાર્ટ સંબંધિત બીમારીઓને કારણે 42 ટકા લોકોના મોત
ન્યૂમોનિયા, અસ્થમા અને હાર્ટ સંબંધિત બીમારીઓને કારણે સૌથી વધારે 42 ટકા લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ ત્રણ રોગોને કારણે દેશમા સૌથી વધારે લોકોના મોત થયા છે.
ટીબીને કારણે 7.1 ટકા લોકોના મોત
ચેપી રોગ ટીબી મોતનું ચૌથું મોટું કારણ છે. દેશમાં 2020ના વર્ષમાં ટીબીને કારણે 7.1 ટકા લોકોના મોત થયા હતા. દેશમાં મોતનું છઠ્ઠું મોટું કારણ ઈજા, ઝેર અને બીજા કેટલાક બહારના કારણો જવાબદાર હોવાનું પણ જણાવાયું હતું.
કઈ ઉંમરના લોકોમાં કેટલા મોત
70 વર્ષ કે તેથી વધુ વયજૂથમાં સૌથી વધુ મૃત્યુ (5,17,678 અથવા કુલ તબીબી પ્રમાણિત મૃત્યુના 28.6 ટકા) નોંધાયા હતા. 45 વર્ષ કે તેથી વધુ વયજૂથના લોકો માટે રુધિરાભિસરણ તંત્રના રોગો (હૃદયરોગ) એ મૃત્યુનું પ્રથમ મુખ્ય કારણ હતું. કુલ તબીબી પ્રમાણિત મૃત્યુના કુલ 5.7 ટકા શિશુઓમાં (1 વર્ષથી ઓછી વયના) નોંધાયા હતા.