જમ્મુ કાશ્મીરનાં પુંછમાં થયેલ આતંકી હુમલામાં ભારતના પાંચ જવાનો શહીદ થયા હતા. સલામ છે આ શહીદોને જેમણે દેશની સુરક્ષા ખાતર પોતાના જીવ હોમી દીધા.
જમ્મુ કશ્મીરના પુંછ સ્થિત સુરનકોટમાં આતંકવાદીઓ સામે લડતા પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સોમવારે ડેરાની ગલીઓમઆ થયેલ આતંકીઑ સામેની મુઠભેડમાં જીવ ગુમાવનારાં જવાનોનાં ઘરે શોકનો માહોલ છે.
આ જવાનોએ આતંકવાદીઓ સામે લડતાં જીવ ગુમાવ્યો હતો. સામે છ જેટલા આતંકીઓને પણ ઢાળી દીધા હતા. જમ્મુ કાશ્મીરના પુંછ સ્થિત સુરનકોટમાં ચાલેલા લોહિયાળ સંઘર્ષમાં સેનાના જવાનોમાં કોઈનો પુત્ર તો કોઈનો પિતા શહીદ થયો હતો.
સૈનિકોમાંથી કોઈના ઘરડાં માબાપ ટેના પુત્રની રાહ જોઈ રહ્યા છે તો કોઈના નાનકડા સંતાનો અનાથ થઈ ગયા છે. આ વીર શહીદોના ઘર-પરિવારનો હાલ જાણીને કોઈના પણ કાળજા કાંપી ઉઠે!
રાષ્ટ્રની રક્ષા કાજે જીવ ગુમાવનાર આ શહીદોને સલામ છે.
ગજ્જન સિંહે
16 રાષ્ટ્રીય રાઇફલ્સના સિપાહી ગજ્જન સિંહે ફેબ્રુઆરી મહિનામાં જ હરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. પંજાબના રોપર જિલ્લાના પચરંડા ગામના રહેવાસી ગજ્જન 16 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત હતા. ઉંમર માત્ર 25 વર્ષની હતી. કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ટેકો આપવા માટે, તેમણે સરઘસમાં ખેડૂતોનો ધ્વજ પણ પોતાની સાથે લીધો હતો. ગજનને બે ભાઈઓ છે અને પિતા ચરણ સિંહ ખેડૂત છે. તેઓ સાત વર્ષ પહેલા 23 શીખ રેજિમેન્ટમાં જોડાયા હતા.ગજ્જનની માતા મલકીત કૌર બીમાર છે, તેથી પુત્રના બલિદાનની માહિતી તેમનાથી છુપાવવામાં આવી હતી. બે દિવસ પહેલા પત્ની હરમીત કૌર સાથે વાત કરી હતી. પછી તેણે કહ્યું હતું કે તેને સંબંધીના લગ્ન માટે 13 ઓક્ટોબરે ઘરે આવવાનું છે, ટૂંક સમયમાં મળીશું. પણ, થોડા દિવસો પછી ગજ્જણ પોતે નહીં પણ તેનો મૃતદેહ આવ્યો હતો.
જસવિંદર સિંહ
પંજાબના કપૂરથલા જિલ્લાના રહેવાસી જસવિંદર સિંહ પણ પૂંછમાં આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા છે. જસવિંદર સિંહ 4 મેકનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં નાયબ સુબેદાર (જેસીઓ) હતા. તે શીખ પાયદળના યુનિટ 4 માં જોડાયા હતા અને હાલમાં 16 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત હતા. જસવિંદરના પિતા અને ભાઈ પણ સૈનિક રહ્યા છે. કેપ્ટનના હોદ્દા પરથી નિવૃત્ત થયેલા તેમના પિતાનું એક મહિના પહેલા માંદગીને કારણે અવસાન થયું હતું. તો સાથે જ મોટા ભાઈ રાજીન્દર સિંહ નાયબ સુબેદાર તરીકે નિવૃત્ત થયા છે. માતાએ કહ્યું હતું કે- મને મારા પુત્ર જસવિંદરની શહીદી પર ગર્વ છે. જસવિંદરના લગ્ન 14 વર્ષ પહેલા સુખપ્રીત કૌર સાથે થયા હતા. તેમને 11 વર્ષની દીકરી હર્નૂર કૌર અને 13 વર્ષનો દીકરો વિક્રમજીત સિંહ છે. 35 વર્ષીય પત્ની સુખપ્રીત વિશ્વાસ કરી શકતી ન હતી કે તેનો પતિ હવે દુનિયામાં નથી રહ્યો. તે વારંવાર કહેતી હતી કે જસવિંદર આવશે અને તેને જમ્મુ -કાશ્મીરની મુલાકાતે લઈ જશે.
મનદીપ સિંહ
મનદીપ ડિસેમ્બર 2011 માં સેનામાં જોડાયો હતો.
મનદીપ સિંહ 16 રાષ્ટ્રીય રાઇફલ્સમાં નાઇકના પદ પર હતા. પંજાબના ગુરદાસપુર જિલ્લાના ચટ્ટા કલાન ગામના રહેવાસી મનદીપને માતા, પત્ની મનદીપ કૌર અને બે પુત્રો છે. એક પુત્ર ચાર વર્ષનો છે જ્યારે બીજો માત્ર 39 દિવસનો છે. કલ્પના કરો, જ્યારે જ્યારે ટે મોટો થશે સમજણો થશે, ત્યારે તેને તેના પિતાનો ચહેરો પણ યાદ નહીં હોય.જો તે જીવતા હોત તો તેમણે 16 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવ્યો હોત. તે એક મહિના પહેલા રજા લીધા બાદ ઘરેથી ફરજ પર ગયો હતો. તેનો મોટો ભાઈ પણ સેનામાં છે જ્યારે નાનો ભાઈ વિદેશમાં રહે છે. મનદીપ ફૂટબોલ સારી રીતે રમતો હતો. શહીદીના સમાચાર સાંભળીને, પત્ની રડતી વખતે ઘણી વખત જોરથી અવાજ કરીને બેભાન થઈ ગઈ હતી. તેના બાળકોને જોઈને તેનું હૃદય વધુ ગમગીન થઈ ગયું હશે.