શારદાબેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિધાર્થીનુ મૃત્યુ
અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થીનુ થયુ મૃત્યુ
આજે ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાનું પ્રથમ પેપર લેવાયું ચૂક્યું છે પણ અમદાવાદમાં રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં એક ગોઝારો બનાવ બન્યો છે. બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત થયું છે. વિદ્યાર્થી ગોમતીપુરની એસ.જી.પટેલ હાઇસ્કૂલમાં ભણતો હતો.
ઊલટી થયા બાદ ચેસ્ટ પેઇન થયું
અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થી રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો જે દરમિયાન ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. પહેલા અચાનક જ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને બાદમાં ચેસ્ટ પેઇન થયું હતું. ઘટના બનતા ક્લાસ બેઠેલા વિદ્યાથીઑ અને શિક્ષકો ડરી ગયા હતા.
વિધાર્થીનુ બી પી વધી જતા વિધાર્થીને આવ્યો હાર્ટ એટેક
જે બાદ અમાન આરીફ શેખને તાત્કાલિકના ધોરણે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો પણ ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીનુ મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ વિધાર્થીનુ બી પી વધી જતા વિધાર્થીને હાર્ટ એટેક આવ્યું હતું જે બાદ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે બચાવી શકાયો ન હતો.
ઘોરણ 12નું પેપર સહેલું હતું
આજથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે.અને ધોરણ 12ની પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું છે..ત્યારે પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.વિદ્યાર્થીઓના મતે ધાર્યા મુજબનું પેપર નિકળ્યું હતુ.આપને જણાવી દઈએ કે, સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને નામના મૂળતત્વોનુ પેપર હતું...જ્યારે સાયન્સ પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 8 હજાર 67 પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
પ્રથમ દિવસે હતું ભાષાનું પેપર સહેલું નીકળ્યું
આજે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને આજે પ્રથમ પેપેર પ્રથમ ભાષાનો એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠીનો હતો.. આજે પ્રથમ દિવસની પરીક્ષામાં પ્રશ્નપત્ર સહેલુ પુછાતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ હતુ.. મહત્વનું છે કે દર વર્ષે ગુજરાતીનું અઘરુ પેપર હોવાનું વિદ્યાર્થીઓ માનતા હોય છે પરંતુ આ વર્ષે કોરોને ધ્યાનમાં રાખીને સરકારે પેપર સ્ટાઈલ પણ સહેલી કરી હતી અને પેપર પેર્ટન પણ સહેલી હોવાથી વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા
15 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા
રાજ્યમાં આજથી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે...શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી હતી...તથા બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગે કરેલી તૈયારી અંગે પણ જણાવ્યું હતું...જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે...તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવશે તથા કેન્દ્રના 100 મીટરની આસપાસ કલમ 144 લગાવાઇ છે અને ઝેરોક્ષ મશીન પર પણ પ્રતિબંધ લગાવાયો છે...કેન્દ્ર પર મોબાઇલ સહિત ઇલેકટ્રોનિક્સ ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે અને આ તમામ વ્યવસ્થાનું વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે