19 દિવસથી સતત ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનાવણી 16 ડિસેમ્બરે થશે. CJI બોબડેની અધ્યક્ષતાવાળી 3 જજની બેંચ 3 અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન યુનિયને બિલ રદ્દ કરવાની અરજીઓ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં કુલ 3 અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.
પહેલી અરજી
દિલ્હીના ઋષભ શર્માએ દિલ્હીની સીમા પરના ખેડૂતોને હટાવાવની માંગ કરી છે. અકજદારે આ અરજીમાં એનસીઆરના સીમાવર્તી વિસ્તારોથી ખેડૂતોના આંદોલનને તરત હટાવવાની માંગ કરી છે. તેનાથી કોરોનાનો ખતરો ફેલાઈ શકે છે. સાથે જ આવન જાવનમાં પણ લોકોને મુશ્કેલી આવી રહી છે, સાથે નિશ્ચિત સ્થાને સામાજિક દૂરી અને માસ્કની સાથે પ્રદર્શનને શિફ્ટ કરવાની માંગ કરીને તરત જ બોર્ડર ખોલવાના આદેશ આપવાની અરજી કરી છે.
બીજી અરજી
છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા દિલ્હીની બોર્ડર પરના ખેડૂતો મુદ્દે કેન્દ્ર ચૂપ છે. એવામા સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તેઓ ખેડૂતોની માંગ પર વિચાર કરે અને ખેડૂતોને પાયાની સુવિધાઓ પ્રદાન કરે. ખેડૂતોની વિરુદ્ધમાં માનવ અધિકારોના ઉલ્લંઘન માટે તપાસ રિપોર્ટ માંગે અને સાથે પોલીસ બળ દ્વારા હુમલાનો સામનો કરનારા પીડિત ખેડૂતો માટે પૂરતા વળતરની માંગ કરાઈ છે. આ અરજી વકીલ જીએસ મણિએ દાખલ કરી છે.
ત્રીજી અરજી
આ અરજીમાં કહેવાયું છે કે પ્રદર્શનકારીઓને દિલ્હીમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવે અને તેમને વિરોધ કરવા માટે નક્કી સ્થાન એટલે કે જંતર મંતર પર કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અનુમતિ અપાય. વકીલ રિપક કંસલની તરફથી કહેવાયું છે કે ખેડૂતોનો વિરોધના માનવીય અને મૌલિક અધિકારોની રક્ષા કરવી અને સાથે તેમને બચાવવા ન્યાયાલયની મદદ લેવી. અરજદારે કહ્યું કે રાજ્યોને શાંતિપૂર્ણ વિરોધ માટે દિલ્હીમાં પ્રવેશની પરમિશન ન આપવી.