કોકરાઝારની કોર્ટે ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે તેની જામીન અરજી પર આજે સુનાવણી થશે.
MLA જીગ્નેશ મેવાણીના ધરપકડનો મામલો
આજે મેવાણીની જામીન અરજી પર થશે સુનાવણી
જીગ્નેશ મેવાણીની પાલનપુરથી કરાઈ હતી ધરપકડ
આપત્તિજનક ટ્વિટને લઈને મેવાણીની કરાઈ હતી ધરપકડ
MLA જીગ્નેશ મેવાણીના ધરપકડનો મામલો
કોકરાઝારની કોર્ટે ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે તેની જામીન અરજી પર આજે સુનાવણી થશે. આસામ પોલીસે આ અંગે રવિવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યો હતો. આસામ પોલીસે ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
આપત્તિજનક ટ્વિટને લઈને મેવાણીની કરાઈ હતી ધરપકડ
મહત્વનું છે કે, MLA જીગ્નેશ મેવાણી પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ.ઉપરોક્ત ટ્વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે મેવાણી સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.