ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારી રાજકીય પાર્ટીઓની માન્યતા રદ કરવાવાળી અશ્વિની ઉપાદ્યાયની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલો અત્યંત ગંભીર છે.
ચૂંટણીમાં મફતની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કોર્ટે ગંભીર મામલો જણાવ્યો
આગામી સુનાવણી 17 ઓગસ્ટે થશે
ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારી રાજકીય પાર્ટીઓની માન્યતા રદ કરવાવાળી અશ્વિની ઉપાદ્યાયની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલો અત્યંત ગંભીર છે. એટલા માટે લોકોના ભલા માટે લાવવામાં આવતી વેલફેયર સ્કીમ અને દેશની આર્થિક સ્થિતિ બંનેમાં સંતુલન રાખવાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશે મામલામાં તમામ પક્ષોમાંથી કમિટિ બનાવાની ભલામણ પર આગામી સુનાવણી 17 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે.
સુપ્રીમ કોર્ટ કાયદો બનાવાના પક્ષમાં નથી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે અમે કાયદો બનાવાના પક્ષમાં નથી, આ કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે જે કમિટિ બનાવાની વાત કરી રહ્યા છીએ, તેના પર વિચાર કરીશું. તેમણે કહ્યું કે, લોકોની ભલા માટે લાવવામાં આવતી વેલફેર સ્કીમ અને દેશની આર્થિક સ્થિતિ બંનેમાં સંતુલન રાખવાની જરૂર છે. એટલા માટે આપણે બધા ચર્ચા કરી રહ્યા છીએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આ મામલામાં આગામી સુનાણી 17 ઓગસ્ટના રોજ થશે. તમામ પક્ષ આગામી સુનાવણીમાં પોતાની ભલામણો લેખિત રીતે કોર્ટને આપશે.
CJIએ કહ્યું કે, આ બધા માને છે કે એક ગંભીર મુદ્દો છે. જે ટેક્સ આપે છે, તે વિચારે છે કે, ટેક્સના રૂપિયા વિકાસ માટે વાપરવા જોઈએ. નહીં કે, ફ્રીમાં આપવા માટે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે, અમે કેટલી હદે આ મામલે જઈ શકીએ. આ મામલામાં ચૂંટણી પંચ છે, રાજકીય પાર્ટીઓ છે, ફાઈનાન્સિયલ ડિસિપ્લિન હોવી જોઈએ. બીજા દેશોને જોવા જોઈએ. ભારતમાં આપણે રાજ્ય અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓને જોઈ છે. પુર, દુષ્કાળ અને કોવિડના સમયમાં કલ્યાણકારી યોજનાઓ ચાલી છે. ભારત એક એવો દેશ છે, જ્યાં ગરીબી છે અને કેન્દ્ર સરકારની ભૂખ્યાને ખાવાનું ખવડાવવા જેવી કેટલીય યોજનાઓ પણ છે. SG એ કહ્યું કે, લોક કલ્યાણ કરવાનો એક માત્ર રસ્તો મફતની ભેટનું વિતરણ હોઈ શકે નહીં, CJIએ કહ્યું કે, મફતની ભેટ અને સામાજિક કલ્યાણ યોજના અલગ છે.
મુખ્ય ન્યાયાધીશે વ્યક્તિગત કિસ્સો શેર કર્યો
મુખ્ય ન્યાયાધીશે પોતાનું એક વ્યક્તિગત અનુભવ શેર કરતા કહ્યું કે, મારા સસરા ખેડૂત છે અને સરકારે વિજળી કનેક્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેઓ કનેક્શનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે મને પૂછ્યું કે, હું શુ કરી શકું છું ? મેં તેમને કહ્યું કે, આ જ પોલિસી છે. પણ બાદમાં તેમને રેગ્યુલરાઈઝ કરી દેવામાં આવ્યા. હું મારા ઘરમાં એક ઈંટ પણ જોડી શકતો નથી, કારણ કે જો આવું કરુ છું તો, સેક્શન્ડ પ્લાનનું ઉલ્લંઘન કરુ છું. પણ મારા પાડોશી ફ્લોર બનાવી રહ્યા છે અને સરકારે બાદમાં તેમને રેગ્યુલરાઈઝ કરી દે છે. આજે આવી જ સ્થિતિ છે. આખરે આપણે શું મેસેજ આપી રહ્યા છીએ.
આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું કે, અમને એફિડેવિટ નથી મળતા, પણ તે તમામ ન્યૂઝ પેપરમાં મળી જાય છએ. અમે આપનું એફિડેવિટ ન્યૂઝ પેપરમાં વાંચ્યું. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે શું તમામ રાજકીય પાર્ટી ચૂંટણી પહેલા પોતાનો મેનિફેસ્ટો ચૂંટણી પંચને આપે છે ? તેના પર વિકાસ સિંહે કહ્યું કે, ના એવો કોઈ નિયમ નથી.