દિલ્હી: CBIના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ડાયરેક્ટર આલોક વર્મા ઉપર કરેલા આક્ષેપોની તપાસનો રિપોર્ટ સીવીસીએ સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે.
જે સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ઘરાશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈની લાંચ અને ભ્રષ્ટાચારને મુદ્દે સર્જાયેલા વિવાદમાં સીબીઆઈના વડા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને ૨૩ ઓક્ટોબરના રોજ રજા પર ઉતારી દીધા હતા.
અસ્થાનાએ વર્મા પર લાંચ લેવાના આરોપ લગાવ્યા હતા. સીવીસીના વડા કે. વી. ચૌધરીનાં નેતૃત્વમાં રચાયેલી CVC ની ત્રણ સભ્યોની સમિતિએ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢયા છે. આ પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનાં નેતૃત્વમાં રચાયેલી ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે સીબીઆઈ લાંચ કેસની સુનાવણી કરી હતી.
સોમવારે બે ન્યાયમૂર્તિની બેન્ચ સુનાવણી હાથ ઘરી હતી. સીવીસીએ કોર્ટમાં રિપોર્ટ જમા કરાવતા વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રહી હતી. જે સંદર્ભે દેશભરની નજર સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાનાર સુનાવણી પર રહેશે.