વર્ષ 2008માં કલેક્ટર કચેરીએ તોડફોડના મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ નિર્દોષ
રાજકોટની કલેક્ટર કચેરીમાં તોડફોડનો મામલો
સેશન્સ કોર્ટે વધુ કેટલાક નેતાઆને નિર્દોષ જાહેર કર્યા
રાજકોટ કોર્ટે ફટકારેલી સજા સામે કરી હતી સેશન્સમાં અરજી
રાજકોટની કલેક્ટર કચેરીમાં તોડફોડ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ આક્ષેપો લાગ્યા હતા. જે બાદ આજની સુનાવણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ નિર્દોષ જાહેર થયા છે. આ સાથે અશોક ડાંગર, ભીખાભાઈ જોષીને પણ તોડફોડ કેસમાં નિર્દોષ જાહેર કરાયા છે.
તો સાથે મહંમદ પીરજાદા, ગોવિંદ, રાણપરીયાના નામ પણ ચોપડે નોંધાયા હતા. જેમને પણ આજની સુનાવણીમાં નિર્દોષ જાહેર કરાયા છે. સમગ્ર મામલો વર્ષ 2008માં સર્જાયો હતો. જ્યારે ક્લેક્ટર કચેરી ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત અનેક લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. અને વિરોધ ઉગ્ર બનતા તોડફોડ સુધી મામલો પહોંચ્યો હતો. કલેક્ટર કચેરીમાં તોડફોડની ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો
તત્કાલ કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવડિયાની જમીનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં વર્ષ 2008ની 4 ડિસેમ્બરે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. વિવાદ વકરતા કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. કલેક્ટર કચેરીમાં તોડફોડની ઘટના બાદ પોલીસે 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકોના ટોળા સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં ઉપરોક્ત તમામ નેતાઓનો પણ સમાવેશ કરાયા હતો.